કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 13મા હપ્તાને લઈને નવી ગાઈડલાઈન બહાર પાડી છે. નવી ગાઈડલાઈનમાં માહિતી આપતા સરકારે કહ્યું કે આ વખતે નવા વર્ષમાં દેશના લગભગ 1.86 કરોડ ખેડૂતોને 13મા હપ્તાના પૈસા નહીં મળે.
સરકારે યાદી બહાર પાડીને જણાવ્યું કે 12મા હપ્તા બાદ કેન્દ્ર સરકારે ખેડૂતોના ડેટાને ક્લીન કરવા માટે આધાર-લિંક્ડ ફિલ્ટર લાગાવ્યું છે. જેના પછી જાણવા મળ્યું કે છેલ્લા 6 મહિનામાં લગભગ 2 કરોડ લોકોના નામ લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યા છે. ખેડૂતોને યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે.
8.58 કરોડ ખેડૂતોને મળ્યો હતો 12મા હપ્તાનો લાભ
તમને જણાવી દઈએ કે લગભગ 10.45 ખેડૂતોને 11મા હપ્તાનો લાભ મળ્યો હતો. ત્યાં જ 12મા હપ્તાનો લાભ માત્ર 8.58 કરોડ ખેડૂતોને મળ્યો છે. સરકાર નવા વર્ષમાં 13મા હપ્તાના પૈસા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે. તો તમે ઝડપથી ચેક કરો કે આ પૈસા તમારા ખાતામાં આવશે કે નહીં...
ફ્રોડ સામે લેવાશે કડક પગલા
આ સાથે જે ખેડૂતોએ અત્યાર સુધી છેતરપિંડી કરીને કિસાન સન્માન નિધિનો લાભ લીધો છે. તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અયોગ્ય ખેડૂતો પાસેથી સંપૂર્ણ રકમ વસૂલ કરવામાં આવશે, આ સાથે તેમના પર દંડ પણ લાદવામાં આવી શકે છે.
આ સાથે તમામ અયોગ્ય ખેડૂતોને સૂચના આપવામાં આવી છે કે જે ખેડૂતોએ તેમના કિસાન સન્માન નિધિ ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરાવ્યું નથી, તેઓને કિસાન સન્માન નિધિનો લાભ નહીં મળે. એટલા માટે તમામ ખેડૂતોએ તેમના આધાર કાર્ડને કિસાન સન્માન નિધિ ખાતા સાથે ટૂંક સમયમાં લિંક કરાવવું જોઈએ.
યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા ઘણા ખેડૂતોના નામ
આધાર લિંક સાથે ફિલ્ટર થયા બાદ યુપીના લગભગ 58 લાખ ખેડૂતો ઓછા થઈ ગયા છે. ત્યાં જ પંજાબમાં ખેડૂતોની સંખ્યા 17 લાખથી ઘટીને 2 લાખ થઈ ગઈ છે. કેરળ અને રાજસ્થાનના 14 લાખથી વધુ ખેડૂતોના નામ પણ હટાવી દેવામાં આવ્યા છે.
આ સિવાય ઘણા રાજ્યોમાં ખેડૂતોના નામ કમી કરવામાં આવ્યા છે. કૃષિ મંત્રાલયે ખેડૂતોના ડેટાને પારદર્શક બનાવવા માટે ઘણા ફિલ્ટર બનાવ્યા છે, જેથી માત્ર પાત્ર ખેડૂતોને જ આ યોજનાનો લાભ મળે.
યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા આ લોકોના નામ
સરકાર તરફથી મળેલી માહિતી મુજબ જે ખેડૂતો બંધારણીય પદ પર કામ કરી રહ્યા છે અથવા કરે છે, તેવા ખેડૂતોને આ યોજનાનો લાભ નહીં મળે. આ ઉપરાંત પૂર્વ, વર્તમાન મંત્રી, સાંસદ, ધારાસભ્ય, મેયર, પંચાયત પ્રમુખને પણ લાભ નહીં મળે. આ સાથે રાજ્ય કે કેન્દ્રના નિવૃત્ત કર્મચારીઓ અને 10,000 થી વધુ માસિક પેન્શન મેળવતા ખેડૂતો. તેમને આ યોજનાનો લાભ આપવામાં આવશે નહીં.