'બાર્જ P305' જહાજ પર હજુ પણ 76 લોકો ફસાયેલા છે અને સર્ચ એન્ડ રેસ્ક્યૂ ઓપરેશનમાં INS Kochi અને INS Kolkataની સાથે ઈન્ડિયન નેવીના Beas, Betwa અને Teg Naval Ships પણ લાગી ગયા છે.
જહાજ પર હાજર 261 લોકોમાંથી 184 લોકોને બચાવી લેવામાં આવ્યા
જોકે હજુ પણ 76 લોકો ગુમ
'બાર્જ P305' પર રેસ્ક્યૂ ઓપરેશન હજુ ચાલુ
ફસાયેલા લોકોની માહિતી માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો
અરબ સાગરમાં ઉઠેલા વાવાઝોડા તૌકતેના ગયા બાદ દરિયામાં ફસાયેલા 'બાર્જ P305' જહાજનું રેસ્ક્યૂ મિશન શરૂ કરવામાં આવ્યું. જહાજ પર હાજર 261 લોકોમાંથી 184 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જોકે હજુ પણ 76 લોકો ગુમ છે.
અત્યાર સુધી 618 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા
'બાર્જ P305' જહાજમાંથી 184 ઉપરાંત GAL Constructor જહાજમાં ફસાયેલા દરેક 137 લોકોને ઈન્ડિયન નેવી અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે રેસ્ક્યૂ કરી લીધા છે. Barge SS3ના 196 લોકો અને Drill Oil સાગર Bhushanના 101 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે.
'બાર્જ P305' પર રેસ્ક્યૂ ઓપરેશન હજુ ચાલુ
'બાર્જ P305' જહાજ પર હજુ પણ 76 લોકો ફસાયેલા છે અને સર્ચ એન્ડ રેસ્ક્યૂ ઓપરેશનમાં INS Kochi અને INS Kolkata ની સાથે ઈન્ડિયન નેવીના Beas, Betwa અને Teg Naval Ships પણ લાગી ગયા છે. Barge P305 મુંબઈથી 35 Nautical Milesની દૂરી પર ડૂબ્યુ છે. સર્ચ અને રેસ્ક્યૂના કામમાં P8I અને નેવલ હેલીકોર્ટ્સની પણ મદદ લેવામાં આવી રહી છે.
ફસાયેલા લોકોની માહિતી માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો
'બાર્જ P305'માં ફસાયેલા લોકોની જાણકારી મેળવવા માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે.