4 વર્ષમાં RTOની આવકમાં ઘટાડો થતા કૌભાંડ સામે આવ્યું, સરકારી તિજોરીમાં જમા કરાવવાના રૂપિયા થોડે થોડે કરી ઘરે લઈ જતો હતો
વસ્ત્રાલ RTOના હેડ કલાર્કે ફેરવ્યું ફુલેકું
1.83 કરોડની છેતરપિંડી
સરકારી તિજોરીમાં રૂપિયા જવાને બદલે ખિસ્સામાં જતા હતા
અમદાવાદ ના વસ્ત્રાલ આરટીઓ નાં હેડ કલાર્કે ડ્યુટી પર રહીને 1.83 કરોડનું ફુલેકું ફેરવ્યું હોવાની બાબતો સામે આવતા જ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.વસ્ત્રાલ આરટીઓ ના વાર્ષિક ઓડિટ માં એ બાબતો સામે આવી કે છેલ્લા 4 વર્ષથી આવકમાં ઘટાડો થઈ રહ્યો છે..તપાસ થતા સિનિયર હેડ કેશિયર એમ એન પ્રજાપતિ એ રજીસ્ટ્રેશન ટેક્સ, માસિક ટેક્સ, વાહન ટેક્સ સહિતની ફીમાં છેલ્લા ત્રણ વર્ષમાં ગોબાચારી આચારી હોવાની બાબત સામે આવી છે.
1.83 લાખ ની ઉચાપત કરી હતી
રેકર્ડ તપાસતા માલુમ પડ્યું વર્ષ 2019-20 માં 70 લાખ 66 હજાર, 2020-21 માં 56 લાખ અને એ સિવાય 50 લાખ મળી 1.83 લાખ ની ઉચાપત કરાઈ હતી.જે અંગે વસ્ત્રાલ આરટીઓ ના સિનિયર ઓફિસરે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. આરોપી પ્રજાપતિ કુલ પાવતીઓ ની 20 થી 25% રકમ પોતે ખીસ્સે કરતો હતો જ્યારે બાકીની રકમ ટ્રેઝરી માં જમા કરી કૌભાંડ આચરતો હતો જે આરટીઓના ઓડિટ દરમિયાન બાબત સામે આવી હતી.બાદમાં આરટીઓ એ 90 લાખ જેટલી રકમ પરત મેળવી છે બાકીની મેળવવાની બાકી રહી છે.
કેવી રીતે આચર્યું કૌભાંડ
વસ્ત્રાલ RTO કચેરી ખાતે વાહનોના રજીસ્ટ્રેશન ટેક્સ, ટ્રાન્સપોર્ટ વાહનોના 6 માસિક, વાર્ષિક ટેક્સ વગેરે પ્રકારના ટેક્સની રકમ અને સરકારી ફીનું ઉઘરાણું કરવાનું હોય છે. જે બાદ જમાં લીધેલા નાણાની પાવતીઓ આપી જે રકમ જમાં થઈ હોય તે રકમ દરરોજ સાંજે સરકારમાં ચલણથી જમા કરાવવાના હોવાથી આ નાણા SBI જમા કરાવવાના થતાં હોય છે. પણ જેતે પૂરતી રકમ જમાં ન કરાવતા તેમાંથી 20 થી 25% રકમ આરોપી હેડ ક્લાર્ક એમ. એન. પ્રજાપતિ ચાઉ કરી જતો હતો. સતત આવકમાં થઈ રહેલા ઘટાડા પર ઉપરી અધિકારીઑનું ધ્યાન ગયું હતું. અધિકારીઓએ વસ્ત્રાલ RTOમાં ચેકિંગ હાથ ઘર્યુ હતું જેમાં સરકારી તિજોરીમાં જમા કરવાની બાંહેધરી આપ્યા બાદ તેણે ટુકડે-ટુકડે રૂ. 94.14 લાખ સરકારી તિજોરીમાં વળતાં જમા કરાવ્યા પણ બાકીના રૂ. 89 લાખ જમા ન કરાવતા તેની સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.