26મી જાન્યુઆરી 2001નો એ દિવસ તમે યાદ હશે. ભારતમાતા કી જય અને વંદે માતરમના નારા તેમજ દેશના આઝાદીના જશ્નમાં દેશની ભાવનાથી રંગાયેલા નાના નાના બાળકો પ્રભાત ફેરીમાં અંજાર શહેરની શેરીઓમાં ખેલતાં-કૂદતાં દેશ ભક્તિના ગીતો ગાતા ગાતા બાળકો ખત્રી ચોક પાસે પહોચ્યાં હતા. એક વિનાશકારી ભૂકંપ સર્જાતા પળભરમાં 185 જેટલા બાળકો શિક્ષકો શહિદ થયા હતા. આ બાળકોની યાદમાં સરકારે વિરબાળ ભૂમિ સ્મૃતિ સ્મારક બનાવવની જાહેરાત કરી હતી. પરંતુ...
185 વિદ્યાર્થીઓ અને 14 શિક્ષકો મોતને ભેટ્યા હતા
વધુ નાણાંની જરૂરતને જોતા કુલ રૂ. 9.46 કરોડ મંજુર કર્યા હતા
ભૂકંપના આજે 19 વર્ષ પૂર્ણ થયા તો પણ હજી સુધી સરકારે વચન પૂર્ણ ન કર્યું
આજે ભૂકંપને 19 વર્ષ પુરા થયા તેમ છતાં પણ હજી સુધી સ્મૃતિ સ્મારક ન બનતા અંજારના લોકો રોષે ભરાયેલા છે. સરકાર મૃતક બાળકોને સ્મારક બનાવીને સાચી શ્રદ્ધાંજલિ ક્યારે આપશે તેની રાહ હજી સુધી જોઈ રહ્યા છે. વર્ષ 2001માં અંજારમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે યોજાયેલી રેલીમાં સામેલ 185 વિદ્યાર્થીઓ, 22 શિક્ષકો, 1 ક્લાર્ક અને 2 પોલીસ જવાન કાટમાળ નીચે આવી જતા મોતને ભેટ્યા હતા.
વધુ નાણાંની જરૂરતને જોતા કુલ રૂ. 9.46 કરોડ મંજુર કર્યા હતા
તેમની સ્મૃતિમાં વીર બાળ ભૂમિ સ્મૃતિ સ્મારક બનાવવા માટે રાજ્ય સરકારે વર્ષ 2017માં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી જ્યારે વાસણભાઇ આહિરના સ્નેહમિલનમાં આવ્યા હતા ત્યારે વીરબાળ ભૂમિ સ્મારકની કામગીરીમાં વધુ નાણાંની જરૂરતને જોતા કુલ રૂ. 9.46 કરોડ મંજુર કર્યા હતા. ત્યારબાદ થોડા સમય સુધી કામ ચાલ્યું તે પછી ધીમી ગતિએ ચાલી રહેલા કામને રોકી દેવામાં આવ્યું હતું અને હાલમાં વિરબાળ ભૂમિ સ્મારકનું કામ સંપૂર્ણ બંધ છે. હવે તે કામ ક્યારે ચાલુ થશે તેના વિશે કોઈ કંઈ કહી શકે તેમ નથી.
મૃતક બાળકોને સાચી શ્રદ્ધાંજલિ ક્યારે મળશે?
મહત્વની વાત તો એ છે કે ભૂકંપના આજે 19 વર્ષ પૂર્ણ થયા તો પણ હજી સુધી સરકારે મૃતક બાળકોની સ્મારક ન બનાવતા મૃતકના વાલીઓ તેમજ સ્થાનિકમાં ભારે રોષે ભરાયા છે. હાલમાં જ મૃતકોના વાલીઓ તમેજ સ્થાનિકોએ તંત્ર અને સરકારને તાત્કાલિક ધોરણે સ્મારક બનાવે અને મૃતકોને શહીદનો દરજ્જો આપવા માગ કરી રહ્યા છે. વીર બાળ ભૂમિ સ્મારક થકી મૃતક બાળકોને સાચી શ્રદ્ધાંજલિ મળશે.