ઓમિક્રોનના કહેર વચ્ચે અમદાવાદમાં કોરોનાના સ્થાનિક સંક્રમણે ચિંતામાં વધારો કર્યો છે. મંગળવારે અમદાવાદમાં 182 કેસ નોધતા આરોગ્ય વિભાગમાં હડકંપ મચી જવા પામ્યો હતો.
અમદાવાદમાં કોરોના સંક્રમણે ચિંતામાં કર્યો વધારો
શહેરમાં ઠેર ઠેર એકત્ર થતી ભીડ બની રહી છે જોખમ
મંગળવારે અમદાવાદમાં 182 પોઝિટિવ કેસ નોંધાયા
અમદાવાદમાં કોરોનાનો ખતરો વધ્યો
અમદાવાદમાં માં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના વધુ 182 કેસ નોંધાયા છે. 12 દિવસમાં જ કોરોનાના કેસમાં લગભગ 25 ગણો વધારો થયો છે. 12 દિવસ પહેલાં એટલે કે 18 ડિસેમ્બરે માત્ર 14 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત 206 દિવસના ગાળા પછી આટલી મોટી સંખ્યામાં કેસ આવ્યા છે. અગાઉ 4 જૂને 176 કેસ નોંધાયા હતા. આમ સોમવારે અમદાવાદમાં 178 કેસની સરખામણીએ મંગળવારે વઘુ 4 કેસ નોઘાતા આંક 182 પર પહોંચ્યો છે. મંગળવારે નોંધાયા કેસમાં સૌથી વધુ બોડકદેવ, મણિનગર, થલતેજ અને ચાંદલોડિયાના છે.
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ઓમિક્રોનના ખતરા વચ્ચે કોરોનાએ ફરીથી ચિંતામાં વધારો કર્યો છે.ત્યારે મંગળવારે માત્ર અમદાવાદમાંજ 182 પોઝિટીવ કેસ નોધાતા આરોગ્યતંત્રમાં ધોડધામ મચી ગઈ છે.ત્યારે અમદાવાદના બોડકદેવ, થલતેજ, ચાંદલોડિયા, ચાંદખેડા, ઘાટલોડિયા, વસ્ત્રાપુર, મણિનગર વિસ્તારો હોટ સ્પોટ વિસ્તારો જાહેર થયા છે. બીજી તરફ અમદાવાદમાં એકા એક પુનઃ કોરોના કેસ વધતાં મનપાના આરોગ્ય વિભાગે ટેસ્ટિંગમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં વધુ ડોમ ઉભા કરવામાં આવશે.