કેન્દ્ર સરકારે પૂરથી પ્રભાવિત કર્ણાટક અને બિહાર માટે 1,813.75 કરોડ રૂપિયાની વધારાની મદદની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે કુદરતી આફતથી પ્રભાવિત રાજ્ય કર્ણાટક અને બિહાર માટે 1,813.75 કરોડ રૂપિયાના પેકેજને શુક્રવારે મંજૂરી આપી દીધી છે.
કેન્દ્ર સરકારનું પૂરગ્રસ્ત બિહાર અને કર્ણાટકને પેકેજ
અમિત શાહે 1813.75 કરોડની મંજૂરી પર લગાવી મહોર
કોંગ્રેસે કહ્યું, કેન્દ્ર સરકારે કર્ણાટકની પ્રજાનું અપમાન કર્યું
જાણો બિહાર-કર્ણાટક માટે કેટલા કરોડની સહાયની થઇ જાહેરાત
કેન્દ્ર સરકાર દ્વારા પૂરથી પ્રભાવિત બિહાર અને કર્ણાટક માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત બિહારને 400 કરોડ રૂપિયા અને કર્ણાટકને 1200 કરોડ રૂપિયાની રકમ આપવાની મંજૂરી આપવામાં આવી છે.
કર્ણાટક કોંગ્રેસે મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર
કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલી રકમની જાહેરાત બાદ કર્ણાટક કોંગ્રેસે નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યાં છે. ટવિટર માધ્યમથી જણાવાયું છે કે રાજ્ય માટે 1200 કરોડના પેકેજની જાહેરાત કરી સરકારે કર્ણાટકના લોકોનું અપમાન કર્યું છે. જેમાં રાજ્ય સરકારે 35 હજાર કરોડ રૂપિયાનો અંદાજ લગાવ્યો હતો. કોંગ્રેસે કહ્યું કે આના પરથી ખબર પડે છે કે કેન્દ્રને બીએસ યેદિયુરપ્પા સરકાર પર ભરોસો નથી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પેકેજની કરી જાહેરાત
શુક્રવારના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પૂરથી પ્રભાવિત બધા રાજ્ય અંગેની બચાવ રાહત કાર્યની સમીક્ષા બાદ પેકેજની જાહેરાત કરી હતી. ગૃહમંત્રાલયે જણાવ્યું કે મંત્રાલયે રાષ્ટ્રિય આપત્તિ રાહત ફંડમાંથી બિહાર માટે 400 કરોડ અને કર્ણાટક માટે 1,200 કરોડ રૂપિયાના પેકેજને મંજૂરી આપી દીધી છે. અમિત શાહે 2019-20 માટે બિહારને SDRF માટે 213.75 કરોડ રૂપિયાને કેન્દ્રના બીજા ઇન્સ્ટોલમેન્ટની રકમની પણ મંજૂરી આપી છે.