સ્વામિનારાયણ મંદિરની હોસ્ટેલમાં રહેતો હતો વિદ્યાર્થી
આપઘાત જાણે કે જીવનથી ભાગવા માટેનો એક માત્ર ઉપાય હોય તેમ લાગી રહ્યું છે. કોઇ આર્થિક ભીંસમાં તો કોઇ શારીરિક તકલીફોથી કંટાળીને તો કોઇ માનસિક રીતે ત્રસ્ત થઇ જતા મોતને ભેટી લે છે. પરંતુ હાલમાં નવાઇની વાત તો એ છે કે આવુ પગલુ ભરવામાં વિદ્યાર્થીઓ પણ નથી અચકાતા. ત્યારે રાજકોટમાં વધુ એક વિદ્યાર્થીએ આપઘાત કરતા ચકચાર મચી..
ડિપ્રેશનમાં આવીને વિદ્યાર્થીનો આપઘાત ?
રાજકોટના સ્વામિનારાયણ મંદિર હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી. વિદ્યાર્થીએ અભ્યાસના કારણે ડિપ્રેશનમાં આવી આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેથી ગાંધીગ્રામ પોલીસે ઘટના અંગે તપાસ હાથધરી છે. આત્મહત્યા કરનારો વિદ્યાર્થી મૂળ બોટાદનો રહેવાસી હતી અને રાજકોટની મારવાડી કૉલેજમાં અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થી કાલાવડ સ્થિત સ્વામિનારાયણ મંદિરની હોસ્ટેલમાં રહેતો હતો.
ઝેરી ટીકડી ખાઇને આત્મહત્યા
બોટાદનો 18 વર્ષીય વિદ્યાર્થીએ ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઇને જીવન ટૂંકાવી લીધું. 2 તારીખના રોજ તેણે મોડી રાત્રે ઝેરી દવા ખાઇ લેતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા આજે સવારે પરોઢિયે દમ તોડી દીધો. એક મિત્રના જણાવ્યા ઘણીવાર આ વિદ્યાર્થી યુપીએસસી, જીપીએસસી કરવાની તો ઘણી વખત તે બીસીએ કરવાની વાત કરતો હતો. અભ્યાસ શું કરવો તે નક્કી કરી શકતો ન હતો આથી તેણે ડિપ્રેશનમાં આવીને આ પગલુ ભર્યાની ચર્ચા થઇ રહી છે.