સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોએ નર્મદાના નીર માટે બાંયો ચઢાવતા . ધ્રાંગધા, મુળી સહિત 18 ગામના ખેડૂતો મેદાને . નર્મદાના નીર નહીં મળે તો ચૂંટણી બહિષ્કાર માટે ખેડૂતોની રણનીતિ
સુરેન્દ્રનગર પંથકમાં પાણીની પારાયણ
બેવડી ઋતુ વચ્ચે ખેડૂતો આકરા પાણીએ
કોંગ્રેસ કહે છે,એક તક આપો,પાણી-પાણી કરી દે'શું
સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોએ નર્મદાના નીર માટે બાંયો ચઢાવી છે. ધ્રાંગધા, મુળી અને વઢવાણના 18 ગામના ખેડૂતો મેદાને આવ્યા છે. નર્મદાના નીર નહીં મળે તો ચૂંટણી બહિષ્કાર માટે ખેડૂતોએ રણનીતિ બનાવી છે. તમામ ગામોના સરપંચ સહિતના લોકોએ રણનીતિ તૈયાર કરી છે. ખેડૂતો વર્ષોથી રજૂઆત કરી રહ્યાં છે છતાં પાણી મળ્યું નથી. ત્યારે સિંચાઇ માટે પાણીની માંગ સાથે ખેડૂતો આંદોલન કરવાની તૈયારી કરી રહ્યાં છે. કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ કહ્યું કે, સુરેન્દ્રનગરના સૌથી પ્રમુખ વિસ્તારમાં પણ પાણીની સમસ્યા છે. સરકાર કહે છે પાણીની વ્યવસ્થા નહીં કરી શકીએ. કોંગ્રેસને એક તક મળશે તો ગણતરીના મહિનામાં પાણીની સમસ્યા દૂર કરીશું.
ઝાલાવાડ આમ પણ કાયમી માટે પાણીની સમસ્યાથી ઝઝૂમી રહ્યો છે ત્યારે,વધુ એક વાર ગ્રામીણ વિસ્તારોમાં પાણીની અછત વર્તાઈ રહી છે. આમ પણ નર્મદાના નીર ઝાલાવાડ પંથકથી થી કચ્છ સુધી પહોચતા હોવાની વાત વચ્ચે હવે ખેડૂતો કહેછે નર્મદાનું પાણી નહિ મળે તો આંદોલનની તૈયારી કરી રહ્યા છીએ. આ પંથકના ખેડૂતો સિંચાઈના પાણી માટે પણ વલખા મારી રહ્યા છે. આ જ મુદ્દે કોંગ્રેસનાં ધારાસભ્ય પણ મેદાનમાં આવી ગયા છે. ધારાસભ્ય નૌશાદ સોલંકીએ સુરેન્દ્રનગર પંથકમાં લાંબા સમયથી પાણીની પારાયણ હોવાનું કહેતા, જો સતા આવે તો આ સમસ્યાથી આ વિસ્તારને મુક્ત કરવા પણ કોલ આપ્યો છે.