મહીસાગર નદીમાં પાણીની આવક થઇ છે જેના કારણે સતત નદીનું જળસ્તર વધી રહ્યું છે. ત્યારે મહીસાગર નદીનું પાણી ગોધરાના જૂનીધારી ગામ સુધી પહોંચી ગયું છે. જૂનીધારી ગામની સીમમાં આવેલા મંદિરો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. જેને લઇ ગોધરા અને શહેરાના 18 ગામોને એલર્ટ કરી દેવાયા છે.