કર્ણાટક બાદ હવે આંધ્ર પ્રદેશમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી સંકટની વાદળો ઘેરાઇ રહ્યા છે. ભાજપના આંધ્રપ્રદેશના પ્રભારી સુનિલ દેવધરે દાવો કર્યો છે કે ટીડીપીના 18 અને 30 એમએસસી અમારા સંપર્કમાં છે. ટૂંક સમયમાં ભાજપ રાજ્યમાં મુખ્ય વિરોધ પક્ષની ભૂમિકામાં જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે, ભાજપના જનરલ સેક્રેટરી સુનિલ દેવધરે કહ્યું હતું કે, ટીડીપીના ધારાસભ્યો જાણે છે કે તેમના બોસ ચંદ્રબાબુ નાયડુ ટૂંક સમયમાં જ જેલમાં જવાના છે. તેમાંના પર કેટલાય ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. તેમણે કહ્યું કે નાયડુના મિત્રો અને પરિવાર ભ્રષ્ટાચારમાં સામેલ છે. આ કારણોસર તેમના ધારાસભ્યો અમારો સંપર્ક કરી રહ્યા છે, કારણ કે તેઓ જાણે છે કે ટીડીપીની છબી વધુ ખરાબ થઈ ગઈ છે.
ભાજપ નિભાવશે મુખ્ય વિપક્ષી દળની ભૂમિકા
દેવધરે એવું પણ જણાવ્યું હતું કે, આંધ્રપ્રદેશમાં આગામી ટૂંક સમયમાં ભાજપ મુખ્ય વિપક્ષી દળની ભૂમિકા ભજવશે. આપને જણાવી દઇએ કે, રાજ્યમાં તાજેતરમાં જ ચૂંટણી યોજાઇ હતી જેમાં YSR કોંગ્રેસ પાર્ટીને બહુમતિ પ્રાપ્ત થઇ છે અને જગ મોહન રેડ્ડી આંધ્રપ્રદેશના નવા મુખ્યમંત્રી બન્યા છે.
ટીડીપીના 4 સાંસદો ભાજપમાં જોડાયા છે
આપને જણાવી દઇએ કે, તેલુગુ દેશમ પાર્ટીના ચાર રાજ્યસભાના સાંસદો તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી)માં જોડાયા છે. આ સાંસદ ત્યારે ભાજપમાં જોડાયા જ્યારે પાર્ટીના વડા ચંદ્રબાબુ નાયડુ તેમના પરિવાર સાથે વિદેશમાં રજાઓ મનવી રહ્યા. ફરી એકવાર રાજ્યમાં, ભાજપ તરફેણમાં રાજકીય વાતાવરણને ધ્યાનમાં રાખીને, પાર્ટી ખૂબ ઉત્સાહિત છે.