18 વૈજ્ઞાનિકોએ આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું છે કે આ વાયરસ ચીનની લેબમાંથી આવ્યો છે તેની થિયરીને માનવી જોઈએ
વર્ષ 2019ના અંતમાં ચીનમાં સૌ પ્રથમ વાર આ વાયરસ સામે આવ્યો
વાયરસ પર અભ્યાસ કરતાં 18 વૈજ્ઞાનિકોએ કરી પુષ્ટિ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને લેબની થિયરી નકારી
વર્ષ 2019ના અંતમાં ચીનમાં સૌ પ્રથમ વાર આ વાયરસ સામે આવ્યો
આખી દુનિયામાં હાહાકાર મચાવનાર અને લાખો લોકોના મોત કરનાર કોરોનો વાયરસ આવ્યો ક્યાંથી? આ વાત સ્પષ્ટ રીતે કોઈ નહીં જાણતું, પરંતુ દુનિયાના ટોપ 18 વૈજ્ઞાનિકોએ કહ્યું કે વાયરસ ચીનની લેબમાંથી નીકળ્યો છે તે વાતની થિયરીને નકારી શકાય નહીં. વર્ષ 2019ના અંતમાં ચીનમાં સૌ પ્રથમ વાર આ વાયરસ સામે આવ્યો હતો, ત્યારપછી અત્યાર સુધીમાં આખી દુનિયામાં કોરોનાથી 30 લાખ લોકો મૃત્યુ પામ્યા છે. અબજો રૂપિયાનું આથિક નુકશાન પણ થયું છે અને સાત બિલિયન લોકોની જિંદગી બરબાદ થઈ ચૂકી છે.
વાયરસ પર અભ્યાસ કરતાં 18 વૈજ્ઞાનિકોએ કરી પુષ્ટિ
કેમ્બ્રિજ યુનિવર્સિટીની લેબના રવીન્દ્ર ગુપ્તા અને કેન્સર રિસર્ચ સેન્ટરમાં વાયરસ પર અભ્યાસ કરતાં 18 વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આ મહામારી ઉત્પન્ન થઈ ત્યાંથી રિસર્ચ કરવું જરૂરી છે. આ 18 વૈજ્ઞાનિકોમાંથી પ્રોફેસર ડેવિડ રેલમેને જર્નલને પત્ર દ્વારા લખ્યું કે ચીનની લેબમાંથી પશુમાંથી નીકળેલ આ વાયરસ માટેની થિયરીને નકારવી ન જોઈએ.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને લેબની થિયરી નકારી
વૈજ્ઞાનિકોએ કહ્યું કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના સંક્રમણની ઉત્પત્તિ અને તેના ફેલાવવા માટે વુહાનમાં કરેલી તપાસમાં બરાબર ધ્યાન નથી આપ્યું. સાથે જ આ વાયરસ લેબમાંથી આખી દુનિયામાં પ્રસર્યો છે તે વાત પણ તેમણે ધ્યાનમાં લીધી નથી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જ્યારે તપાસના રિપોર્ટ રજૂ કર્યા ત્યારે તેમાં જણાવવામાં આવ્યું કે આ વાયરસ ચામાચિડિયામાંથી અન્ય પ્રાણીઓમાં ફેલાયો અને પછી માનવોમાં ફેલાયો છે.