ચાલૂ નાણાકીય વર્ષના પહેલા ત્રણ ત્રિમાસિક ગાળામાં 18 સરકારી બેન્કોમાં કુલ 8,926 છેતરપિંડીના કેસ સામે આવ્યા છે. આ છેતરપિંડીના મામલાઓમાં તમામ 18 સરકારી બેન્કોના લગભગ 1.17 લાખ કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. આ જાણકારી એક આરટીઆઇ સવાલના જવાબથી મળ્યો છે. આરટીઆઇ (RTI)ના જવાબથી જાણવા મળ્યું છે કે ભારતીય સ્ટેટ બેન્કને સૌથી વધારે ઝટકો લાગ્યો છે.
18 સરકારી બેન્કોમાં કુલ 8,926 છેતરપિંડીના કેસ સામે આવ્યા
એસબીઆઇ બેન્કમાં ફ્રોડના કુલ 4,769 મામલાઓ બન્યા છે
ફ્રોડ મામલાઓને કારણે 18 બેન્કોના લગભગ 1.17 લાખ કરોડ રૂપિયાનું નુકશાન થયું
આરટીઆઇ અરજીકર્તા ચંદ્રશેખર ગૌરે જણાવ્યું કે આ આરટીઆઇનો જવાબ ભારતીય રિઝર્વ બેન્ક (Reserve Bank ok India) દ્વારા આપવામાં આવ્યો છે. આરટીઆઇ દ્વારા જાણવા મળ્યું છે કે એસબીઆઇ બેન્કમાં ફ્રોડના કુલ 4,769 મામલાઓ બન્યા છે, જેમા બેન્કને કુલ 30,300 કરોડ રૂપિયાનું નુકશાન થવાની સંભાવના છે. આ આંકડા ચાલૂ નાણાકીય વર્ષના પહેલા ત્રણ ત્રિમાસિક ગાળા એટલે કે એપ્રિલથી ડિસેમ્બરની વચ્ચેના છે.
એસબીઆઇમાં થયેલા ફ્રોડની રકમ, કુલ ફ્રોડની રકમ 1.17 લાખ કરોડ રૂપિયાના 26 ટકા છે. એસબીઆઇ ઉપરાંત પંજાબ નેશનલ બેન્ક (PNB) માં આવા 294 મામલા સામે આવ્યા છે અને બેન્કને 14,928.62 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. બેન્ક ઓફ બરોડામાં આવા 250 મામલા છે અને આ બેન્કને કુલ 11,166.19 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે.
અલાહાબાદ બેન્કમાં આવા ફ્રોડના કેસની સંખ્યા 860 છે. આ ફ્રોડને કારણે અલાહાબાદ બેન્કને 6,781.57 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. જ્યારે બેન્ક ઓફ ઇન્ડિયાને 161 ફ્રોડના મામલાઓથી 6,621.12 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. યૂનિયન બેન્ક ઓફ ઇન્ડિયાને 292 ફ્રોડ દ્વારા 5,604.55 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે.
ઇન્ડિયન ઓવરસીઝ બેન્કને આવા 151 મામલાઓમાં 5,556.64 કરોડ રૂપિયા અને ઓરિએન્ટલ બેન્ક ઓફ કૉમર્સને કુલ 282 મામલાઓમાં 4,899.27 રૂપિયાનું નુકશાન થયું છે.
આ બેન્કોમાં પણ 31 હજાર કરોડ રૂપિયાનું નુકશાન
1,867 મામલાઓ ઉપરાંત, કેનેરા બેન્ક, યૂકો બેન્ક, સિન્ડિકેટ બેન્ક, કોર્પોરેશન બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, આંધ્રા બેન્ક, યૂનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેન્ક અને પંજાબ એન્ડ સિંધ બેન્કમાં કુલ 31,600.76 કરોડ રૂપિયાના ફ્રોડના મામલા સામે આવ્યા છે.
જોકે, આ આરટીઆઇમાં કેન્દ્રીય બેન્કે આ બેન્ક ફ્રોડ મામલાઓના નેચર વિશે ખાસ જાણકારી આપી નથી. તેમાં એમ પણ જાણકારી નથી આપવામાં આવી કે બેન્કને કેટલુ નુકશાન થયું છે.