હોંગકોંગના એક જહાજને નાઇજીરિયાના તટ પાસે દરિયાઇ ચાંચિયાઓએ અપહરણ કરી લીધુ છે. જેમાં 18 ભારતીયો પણ સવાર છે. દરિયાઇ પ્રવૃત્તિઓ પર નજર રાખનાર એક એજન્સીએ આ અંગેની જાણકારી આપી છે.
નાઇજીરિયા તટ પાસે હોંગકોંગ જહાજનું કર્યું અપહરણ
જહાજમાં 18 ભારતીયો હતા સવાર
જહાજ પર હોંગકોંગનો ધ્વજ લગાવાયો હતો
સૂત્રોને મળતી માહિતી મુજબ ભારતીયોના અપહરણ હોવાની ખબર મળતાં જ ભારતીય દૂતાવાસના અધિકારીઓએ નાઇજીરિયાનો સંપર્ક કર્યો હતો. કારણ કે આ ઘટનાને લઇને સંપૂર્ણ જાણકારી મળી શકે. આ સાથે અપહરણ કરાયેલા ભારતીયોને મુક્ત કરાવા માટે મદદ કરી શકાય.
દરિયામાં જહાજ પ્રવૃત્તિ પર નજર રાખનાર એઆરએક્સ મેરીટાઇમે પોતાની વેબસાઇટ પર જણાવ્યું છે કે જહાજને મંગળવારના રોજ દરિયાઇ ચાંચિયાઓએ પોતાના કબજામાં લઇ જહાજમાં સવાર 19 લોકોનું અપહરણ કરી લીધું. જેમાં 18 ભારતીયો છે જ્યારે એક તુર્કી નાગરિક છે.
3 ડિસેમ્બરની સાંજે નાઇજીરિયાના તટ પાસેથી પસાર થઇ રહેલા હોંગકોંગના ફલેગવાળા વીએલસીસી, એનએવીઇ કાન્સ્ટલેશન પર દરિયાઇ ચાંચિયાઓએ હુમલો કરી દીધો.
ઉલ્લેખનીય છે કે 2008માં સોમાલિયા પાસે એડની ખાડી પાસેથી 18 ભારતીયો સહિત 22 પ્રવાસીઓવાળા એક પાણીના જહાજને દરિયાઇ ચાંચિયાએ બંધક બનાવી લીધુ હતું. આ દરમિયાન જહાજમાં ભારતીય સહિત બે ફિલિપાઇન્સી, એક બાંગ્લાદેશ અને એક રશિયાના નાગરિક જહાજમાં સવાર હતા.