યુ.એસ.ના અધિકારીઓએ લોકોની મૃત્યુ માટે ટોર્નેડો, કાર અકસ્માત, વૃક્ષો પડી જવા અને તોફાનની અન્ય અસરોને જવાબદાર ગણાવી હતી.
બરફના તોફાને ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા
હજારો ઘરો અને વ્યવસાયોની વીજળી ઠપ
ઓછામાં ઓછા 18 મિલિયન લોકો બીમાર છે
યુ.એસ.માં બરફના તોફાને ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા છે, હજારો ઘરો અને વ્યવસાયોની વીજળી ઠપ થઈ ગઈ છે અને નાતાલના આગલા દિવસે લાખો લોકોને અંધારામાં રહેવા જએવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. આ બરફના તોફાને, બુફાલો, ન્યુ યોર્કમાં ઘણો વિનાશ કર્યો અને તોફાનની સાથે બરફવર્ષા પણ થઈ. આ સાથે જ ઇમરજન્સી રિસ્પોન્સના પ્રયાસો અવરોધાયા હતા અને શહેરનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. જો કે યુ.એસ.ના અધિકારીઓએ લોકોની મૃત્યુ માટે ટોર્નેડો, કાર અકસ્માત, વૃક્ષો પડી જવા અને તોફાનની અન્ય અસરોને જવાબદાર ગણાવી હતી. જણાવી દઈએ કે બુફાલો વિસ્તારમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા હતા.
ન્યુ યોર્કના ગવર્નર કેથી હોચુલે જણાવ્યું હતું કે બુફાલો નીયાગારા ઇન્ટરનેશનલ એરપોર્ટ સોમવારે સવારે બંધ રહેશે અને અત્યારની પરિસ્થિતિ મુજબ બુફાલોમાં દરેક ફાયર ટ્રક બરફમાં ફસાયેલી છે. હોચુલે કહ્યું હતું , "આપણી પાસે ગમે તેટલા ઇમરજન્સી વાહનો કેમ ન હોય પણ તેઓ આ પરિસ્થિતિમાંથી પસાર થઈ શકતા નથી." બરફના તોફાન, વરસાદ અને ઠંડીના કારણે મૈનેથી સિએટલ સુધી પાવર આઉટ થઈ ગયો છે, જ્યારે ઓપરેટરે ચેતવણી આપી હતી કે 65 મિલિયન પૂર્વીય યુએસમાં લોકો અંધારામાં રહી શકે છે. ક્રિસમસના અવસર પર 2700 ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે.
વીજળી બચાવવા માટે આદેશ પેન્સિલવેનિયા સ્થિત PJM ઇન્ટરકનેક્શને જણાવ્યું હતું કે પાવર પ્લાન્ટ્સને બરફીલા હવામાનમાં કામ કરવામાં મુશ્કેલી આવી રહી હતી અને 13 રાજ્યોના રહેવાસીઓને ઓછામાં ઓછા ક્રિસમસની સવાર સુધી પાવર બચાવવા જણાવ્યું હતું. એરી કાઉન્ટીના એક્ઝિક્યુટિવ માર્ક પોલોનકાર્ઝે જણાવ્યું હતું કે ઇમરજન્સી કામદારો સમયસર સારવાર ન મેળવી શક્યા પછી શુક્રવારે ચીકાટોવામાના બફેલો ઉપનગરમાં બે લોકો તેમના ઘરોમાં મૃત્યુ પામ્યા હતા.
તેમણે કહ્યું કે બુફાલોમાં અન્ય એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને બરફવર્ષા "અમારા સમુદાયના ઇતિહાસમાં સૌથી ખરાબ તોફાન" હોઈ શકે છે. હવામાનવિભાગેજણાવ્યું હતું કે શનિવારે બફેલોમાં 71 સેન્ટિમીટર સુધી બરફ જમા થયો હતો. બીજી તરફ, સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) દ્વારા બહાર પાડવામાં આવેલા અંદાજ મુજબ, આ સિઝનમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 18 મિલિયન લોકો બીમાર છે. તેમાંથી 1 લાખ 90 હજાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ફ્લૂના કારણે 12,000 લોકોના મોત થયા હતા.