કચ્છઃ ભુજમાં અદાણી સંચાલિત હોસ્પિટલમાં બાળકોના મોત મામલે રાજ્યની આરોગ્યની ટીમ તપાસ માટે હોસ્પિટલમાં પહોંચી છે. ત્રણ ડોકટરોની ટીમ જી.કે. જનરલ હોસ્પિટલમાં તપાસ કરશે. મહત્વનું છે કે જી.કે. જનરલ હોસ્પિટલમાં છેલ્લા 18 દિવસમાં કુલ 20 બાળકોના મોત થયા છે. અને આરોગ્યની ટીમ કયાં કારણોસર બાળકોના મોત થઈ રહ્યા છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરશે.
જ્યાં હોય છે જીવનની આશા! ત્યાં બુઝાઈ રહ્યા છે માસૂમોના જીવનદીપ!
જ્યાં જીવનની આશા છે ત્યાં જ નવજાત બાળકો મોતના મુખમાં ધકેલાય તો પછી બીજે આશા ક્યાં કરવી! સુવિધાભર્યાં સંચાલન માટે સરકારે પોતાની આરોગ્યલક્ષી જવાબદારી અદાણી ગ્રુપને હવાલે કરી દીધી. પરતું તેનાથી દર્દીઓને પડતી હાલાંકીઓમાં કોઈ ફેર ન પડ્યો. ઊલટાની આ હોસ્પિટલમાં કુમળા બાળકોનાં મોતની ટકાવારી ભયજનક રીતે વધી ગઈ. સેવાના નામે સરકારી દોસ્ત બની જનતાના ખિસ્સા ખાલી કરતાં અને માસૂમોના મોત માટે દોષની ટોપી બીજાને ઓઢાડી નાણાંનો ટોપલાં ઘરભેંગા કરતાં રેઢિયાળતંત્રનો આ અહેવાલ.
સુવિધાભર્યાં સંચાલનનો હેતુ ન થયો સિદ્ધ
ભૂજની જી.કે. જનરલ હોસ્પિટલમાં અસમાન્ય રીતે થઈ રહેલા બાળકોના મોતની ઘટનાએ સમગ્ર રાજ્યનું ધ્યાન ખેંચ્યું છે. જી.કે.જનરલ હોસ્પિટલનું સંચાલન અદાણી ગ્રુપ દ્વારા સંચાલન કરવામાં આવે છે. સરકારે સુવિધાભર્યાં સંચાલન માટે હોસ્પિટલનું સંચાલન ખાનગીગૃહોના હવાલે કર્યું. પરંતું દર્દીઓની હાલાંકીમાં કોઈ ફેર પડ્યો નથી ઊલટાની પરિસ્થિતિ વધારે બગડી રહી છે. હોસ્પિટલની ગંભીર બેદરકારીને કારણે બાળકો ટપોટપ મરી રહ્યા છે. તો પણ અદાણી સત્યનો સ્વીકાર કરવાને બદલે નનૈયો ભણી રહ્યા છે.
જી.કે. હોસ્પિટમાં છેલ્લાં પાંચ મહિનામાં થયાં 111 બાળકોનાં મોત
કચ્છ કલેક્ટરે આ મામલે તપાસના આદેશ આપ્યાં છે. અધિકારીને આ મામલે પૂછતાં તેમણે આંકડા છુપાવ્યા હતાં. અધિકારીએ કેમેરા સામે બાળકોના મોત મામલે માહિતી આપવાનો ઇન્કાર કર્યો હતો. તેમની પાસે મૃતકોની લિસ્ટ ઉપલબ્ધ હતું છતાં માહિતી આપવાનો ઈનકાર કરી દીધો હતો. અધિકારીઓએ મેનેજમેન્ટ પાસેથી જ સાચી માહિતી મેળી શકે તેવો ખોટો રાગ આલાવ્યો હતો. હકીકતમાં અદાણીની જી.કે. હોસ્પિટલમાં પાંચ મહિનામાં 111 બાળકોના મોત થયા છે.
2017ના વર્ષ દરમિયાન કુલ 185 બાળકોના મોત
તો 2017ના વર્ષ દરમિયાન કુલ 185 બાળકોના મોત થયા છે. વર્ષ 2016માં આ હોસ્પિટલમાં 184 બાળકોના મોત થયાં હતા. સામાન્ય નાગરિકો મનમાં મુંઝાઈ રહ્યા છે કે હોસ્પિટલની આવી કંગાળ અને અસુરક્ષિત હાલત માટે જવાબદાર કોણ છે? કેમકે ટૂંકા ગાળામાં આટલાં બધાં માસૂમોના મૃત્યુ માટે હોસ્પટિલ તંત્રનું રેઢીયાળપણુ સામે આવ્યું છે. માસૂમોના આરોગ્ય સાથે બેદરકારી અંગે અંગે કોંગ્રેસના પ્રમુખે પણ વારંવાર ટકોર કરી હતી. પરંતુ હોસપિટલા ડોક્ટરો અને મેનેજમેન્ટે આ મામલે બેદરકારી દાખવી હતી. એટલું જ નહીં તેમણે યોગ્ય માહિતી આપવાની પણ ના પાડી દીધી હતી. જેના પરથી તેઓ પાપ છુપાવી રહ્યાં હોય તેવી શંકા પ્રબળ બની હતી. આ ઘટનાને લઈને અદાણી જેવા એક જવાબદાર ગ્રુપ સામે જ શંકાની સોઇ સેવાઈ રહી છે.
બાળમૃત્યુ માટે ડો.રાવ 108 પર ઢોળે છે દોષનો ટોપલો
ભૂજમાં અદાણી સંચાલિત હોસ્પિટલમાં બાળકો ટપોટપ મરી રહ્યા છે. ત્યારે હોસ્પિટલના ડાયરેક્ટર ડો.રાવ બાળમૃત્યુના આંકડા બાબતે વિસંગતતા સર્જી રહ્યા છે. ડોક્ટર રાવ હોસ્પિટલમાં બાળમૃત્યુદરનો રેશિયો 15 ટકા જણાવી હકીકત છૂપાવવા પ્રયાસ કરી રહ્યા છે. કેમકે હોસ્પિટલના આંકડા જુદુ જ ચિત્ર રજૂ કરે છે. હોસ્પિટલના આંકડા મુજબ હોસ્પિટલમાં બાળકોનો મૃત્યુદર 24 ટકા છે. ડાયરેકટર ડો.રાવ હોસ્પિટલાં ઉત્તમ સુવિધા હોવાનો દાવો કરી રહ્યા છે અને બાળ મૃત્યુ માટે 108 સુવિધા પર દોષનો ટોપલો ઢોલી રહ્યા છે. ડોક્ટર રાવ કહે છે બાળ દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં 108 દ્વારા સમય લાગે છે જેના કારણે વિલંબ થતા બાળકો મૃત્યુને ભેટે છે.
ભૂજની અદાણી હોસ્પિટલમાં ગોરખપુરવાળી ઘટના સામે આવી છે. વીટીવીના ઈન્વેસ્ટિગેશનમાં ગુજરાતનું ગોરખપુર સામે આવ્યું છે. અદાણીની જી.કે. હોસ્પિટલમાં પાંચ મહિનામાં 111 બાળકોના મોત થયા છે. તો 2017ના વર્ષ દરમિયાન કુલ 185 બાળકોના મોત થયા છે. જી.કે. હોસ્પિટલની બેદરકારીના પગલે બાળકો ટપોટપ મરી રહ્યાં છે. તો બાળકોના મોત પાછળ હોસ્પિટલ મેનેજમેન્ટે પોતાનો લૂલો બચાવ કર્યો હતો.
તો ડોક્ટર રાવના જણાવ્યા અનુસાર અહીં દૂર દૂરથી કોપોષિત બાળકો આવે છે. બાળકો કુપોષિત હોવાના કારણે મોતને ભેટતા હોય છે. ત્યારે સવાલ એ થાય છે કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી હોસ્પિટલ સામે સરકાર અને વિપક્ષ મૌન કેમ છે. અદાણી મેડિકલ કોલેજ કરોડો રૂપિયા કમાય છે. તો બાળકોના મોત સામે પ્રશ્નો ઊભા થયા છે.