આણંદ જિલ્લામાં એક સાથે ઓમિક્રૉનનાં ચાર કેસ સામે આવ્યા બાદ બીજા દિવસે 18 કોરોના કેસ સામે આવ્યા છે. આણંદ જિલ્લામાં એક સાથે ઓમિક્રૉનનાં ચાર કેસ સામે આવ્યા બાદ બીજા દિવસે 18 કોરોના કેસ સામે આવ્યા છે.
આણંદ જિલ્લામાં કોરોનાનો કહેર
એક જ દિવસમાં કોરોનાના 18 કેસ
માત્ર આણંદમાં જ કોરોનાના 15 કેસ
ગુજરાતનાં આણંદ જિલ્લામાં કોરોના વાયરસની લહેર આવી ગઈ હોય તેમ કેસ સામે આવતા ટેન્શન વધ્યું છે. ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ ઓમિક્રૉન વેરિયન્ટનાં કારણે કોરોના વાયરસનાં કેસ વધી રહ્યા છે ત્યારે આણંદ શહેરમાં એક જ દિવસમાં 15 કેસ આવ્યા જ્યારે સોજિત્રામાં 2 જ્યારે બોરસદમાં એક કોરોના કેસ નોંધાયો છે.
ગઇકાલે એક સાથે 4 ઓમિક્રૉન કેસ નોંધાયા હતા
આણંદમાં એકસાથે આજે 4 ઓમિક્રોનના કેસ નોંધાતા સમગ્ર પંથકમાં હાહાકાર મચ્યો છે. નોંધનીય છે કે, આ લોકો UK અને તાન્ઝાનિયાથી આવ્યા હતા જેમનો ઓમિક્રોન રિપોર્ટ કરવામાં આવતા પોઝિટિવ આવ્યો છે. ત્રણ લોકોને કરમસદ અને એકને સારવાર માટે અમદાવાદ ખસેડાયા. ખેડા જિલ્લામાં નવા 3 કેસ સાથે અત્યાર સુધીમાં કુલ 6 કેસ નોંધાઇ ચૂક્યા છે. ગઈકાલે નડિયાદ શહેરમાં ત્રણ કેસ નોંધાયા હતા. પીપલગ ગામના એક જ પરિવારના ત્રણ સભ્યોને ઓમીક્રોન પોઝીટીવ આવ્યા છે. યુકેથી આવેલા પરિવારના સભ્યો ઓમીક્રોન વેરિએન્ટથી સંક્રમિત મળી આવ્યા છે.
રાજ્યમાં ગઇકાલે 179 કોરોનાના કેસ નોંધાતા ખળભળાટ મચ્યો છે. રાજ્યમાં 34 દર્દીઓ સાજા થયા છે, રિકવરી રેટ 98.68 ટકા છે, એક્ટિવ કેસ 837 છે. તો રાજ્યમાં ઓમિક્રોનના કુલ કેસ 49એ પહોંચ્યા છે.
કયા જિલ્લા-શહેરમાં કેટલા કેસ?
અમદાવાદ શહેરમાં 61, સુરત શહેરમાં 20, આણંદમાં 18, વડોદરા શહેરમાં 14, રાજકોટ શહેરમાં 13, સુરત જીલ્લામાં 9, નવસારીમાં 5, બનાસકાંઠામાં 4 કેસ નોંધાયા છે. તો જુનાગઢમાં 3, કચ્છમાં 3, વલસાડમાં 3, અમદાવાદ જિલ્લામાં 2, અમરેલીમાં 2, ભરૂચમાં 2, ગાંધીનગર શહેરમાં 2, જામનગર શહેરમાં 2, જુનાગઢ શહેરમાં 2, રાજકોટ જિલ્લામાં 2, વડોદરા જિલ્લામાં 2, ભાવનગ શહેરમાં 1, દાહોદમાં 1, ગાંધીનગર જિલ્લામાં 1, ગીર સોમાનાથમાં 1, મહેસાણામાં 1 અને સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાયો છે.
કયા જિલ્લામાં કેસ નહીં?
અરવલ્લી, ભાવનગર ગ્રામ્ય, બોટાદ, છોટા ઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, જામનગર ગ્રામ્ય, મહીસાગર, મોરબી, નર્મદા, પંચમહાલ, પોરબંદર, પાટણ, સાબરકાંઠા અને તાપીમાં એક પણ કોરોના કેસ નોંધાયો નથી.
ભારતમા ત્રીજી લહેરની આશંકા
ભારતમા જે તેજીથી ઓમિક્રૉન વેરિયન્ટનો કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે તેને જોતાં ત્રીજી લહેરનો ખતરો પણ સતત વધી રહ્યો છે. 26 ડિસેમ્બર સવાર સુધીના અપડેટ અનુસાર દેશમાં ઓમિક્રૉનનાં દર્દીઓની સંખ્યા વધીને 452 પહોંચી ગિયા છે અને હવે કોરોના વધુને વધુ ભયાનક રૂપ લઈ રહ્યું છે. ગઇકાલથી જ રાજ્યોમાં કડક નિયમો સાથે પ્રતિબંધો લગાવવાની પણ શરૂઆત કરવામાં આવી છે સાથે જ ગુજરાતમાં પણ નાઈટ કર્ફ્યૂ વધારી દેવામાં આવ્યું છે. આઠ મહાનગરોમાં રાત્રિના 11 વાગ્યાથી કર્ફ્યૂ લાગુ પડે છે જે સવારના 5 વાગ્યા સુધી લાગુ કરવામાં આવ્યો છે.