જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની વધી રહેલી ઘટનાઓની વચ્ચે મોદી સરકારે એક મોટો નિર્ણય લેતા 177 શિક્ષકોને ખીણ વિસ્તારની બહાર ટ્રાન્સફર કરી દીધા છે.
જમ્મુ કાશ્મીરમાં ટાર્રગેટ કિલિંગ પર સરકારનો મોટો નિર્ણય
177 ટીચર્સને ઘાટી બહાર કર્યાં ટ્રાન્સફર
ગૃહ મંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠકમાં લેવાયો નિર્ણય
કાશ્મીરમાં વધી રહી છે ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ
જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગને જોતા પ્રશાસને મોટો નિર્ણય લીધો છે. કાશ્મીરી પંડિત સમુદાયના 177 શિક્ષકોની ખીણની બહાર બદલી કરવામાં આવી છે. તમામને કાશ્મીરના જિલ્લા મુખ્યાલયમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. શુક્રવારે ગૃહ મંત્રાલયમાં ઉચ્ચ સ્તરીય બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પંડિતોના ગુસ્સાને શાંત કરવાના પ્રયાસરૂપે
શ્રીનગરના ચીફ એજ્યુકેશન ઓફિસર દ્વારા જાહેર કરવામાં આવેલા પત્રમાં તમામ શિક્ષકોની બદલીની જાણકારી આપવામાં આવી છે. પ્રશાસનના આ નિર્ણયને કાશ્મીરી પંડિતોની નારાજગી દૂર કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં ઘાટીમાં સતત નિશાનોની હત્યા બાદથી જ કાશ્મીરી પંડિતોમાં નારાજગી જોવા મળી રહી છે.
રજની બાલાની હત્યા બાદ જમ્મુ ટ્રાન્સફરની માંગ
31 મેના રોજ શિક્ષક રજની બાલાની હત્યા બાદ શિક્ષકો સાંબામાં વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. કાશ્મીરી પંડિતોની માંગ છે કે તેમને જમ્મુ ટ્રાન્સફર કરવામાં આવે, જેથી સતત ટાર્ગેટ કિલિંગ બંધ થાય.
ખીણમાં ખીણમાં લગભગ 5900 હિન્દુ કર્મચારીઓ
ખીણ વિસ્તારમાં લગભગ 5900 હિન્દુ કર્મચારીઓ કામ કરી રહ્યાં છે અને તેમની સુરક્ષા સૌથી મોટો પડકાર છે. પ્રતિબંધો હોવા છતાં ખાનગી આવાસ અને શિબિરોમાં રહેતા 80 ટકા કર્મચારીઓ કાશ્મીર છોડીને જમ્મુ પહોંચી ગયા છે. અનંતનાગ, બારામુલ્લા અને શ્રીનગરમાં શિબિરોમાં ઘણા પરિવારો પોલીસ-પ્રશાસનની તકેદારીને કારણે બહાર નીકળવામાં અસમર્થ છે.