તિરૂપતિ બાલાજી મંદિર સુધી પહોંચ્યો કોરોના પહોંચી ગયો છે. જી હાં અહીં તિરૂપતિ બાલાજી મંદિરના 170 કર્મચારી કોરોના સંક્રમિત થયા છે. મંદિરના 18 પૂજારી, 100 સુરક્ષાકર્મી, 20 પ્રસાદ બનાવનાર કર્મચારી સંક્રમિત થયા છે. 60 વર્ષથી વધુ ઉંમરના કર્મચારીને હાલ પુરતી ડ્યૂટી પરથી રજા અપાઇ છે.
કોરોનાનો વધતો જતો કેર
તિરૂપતિ બાલાજી મંદિરના 170 કર્મી સંક્રમિત
60 વર્ષથી વધુ ઉંમરના કર્મચારીને ડ્યૂટી પરથી અપાઇ રજા
જો સ્થિતિ વધુ બગડશે તો મંદિર દર્શનાર્થીઓ માટે ફરી કરવાના સંકેત મંદિર સંચાલકોએ આવ્યા છે. 170 કર્મચારી સંક્રમિત થતાં હાલ મંદિર સંચાલકોની ચિંતા વધી છે. મંદિરના ચેરમેન વાઈવી સુબ્બા રેડ્ડીનું કહેવું છે કે કોરોના સંક્રમિતોમાં 170 કર્મચારી સંક્રમિત થયા છે. તેઓએ કહ્યું કે મંદિરમાં અત્યારે 60 વર્ષથી વધુ ઉંમરના જેટલા પણ કર્મચારીઓ છે તેમને રજા આપવામાં આવી છે. જો સ્થિતિ વધારે બગડશે તો ભક્તોને માટે મંદિર બંધ કરવામાં આવી શકે છે.
કોરોનાના કેસ વધતાં ભક્તોમાં ડરનો માહોલ
મંદિરના ચેરમેનનું કહેવું છે કે મંદિરના પૂજારીઓ સ્વસ્થ રહેશે તો ભગવાન બાલાજીની પૂજા અર્ચના સારી રીતે કરી શકાય છે. દર્શનને ઓછા કરવાનો કોઈ પ્રશ્ન સર્જાતો નથી. અત્યારે અહીં કેસ વધતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.