ઉત્તર પ્રદેશના યોગી સરકારે નિષાદ, મલ્લાહ અને રાજભર સહિત 17 જાતિઓને અનુસૂચિત જાતિમાં સ્થાન આપવાનું નક્કી કર્યું છે. સરકારે તેના માટે તાત્કાલિક અસરથી ખાસ આદેશ આપ્યો છે. જોકે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલ આદેશમાં કહેવામાં આવ્યું છે ,
Uttar Pradesh Government adds 17 castes, including Kashyap, Mallah, Kumhar, Rajbhar, Prajapati & others in the list of Scheduled Castes. District officers have been ordered to issue Caste Certificate to the families of those belonging to these 17 castes.
ઉલ્લેખનીય છે કે, સમાજ કલ્યાણ વિભાગ દ્વારા રજૂ કરાયેલ આદેશ મુજબ, આ નિર્ણય કોર્ટના અંતિમ આદેશ હેઠળ રહેશે. એટલે કે જો અંતિમ નિર્ણય આ જાતિઓને અનુસુચિત જાતિઓમાં સામે ન કરવાનો આવે છે તો ફરીથી તેમને અનુસૂચિત જાતિમાંથી બહાર ધકેલવામાં આવશે. જો કોર્ટ આ બાબતને માન્યતા આપે છે તો તેમનું સ્ટેટસ યથાવત રહેશે.
કોનો કરાયો સમાવેશ
આ પછાત જાતિઓ નિષાદ, બિંદ, મલ્લાહ, કેવટ, કશ્યપ, ભર, ધીવર, બાથમ, માછીમાર, પ્રજાપતિ, રાજભર, કહાર, કુંભાર, ધીમર, માંઝી, તુરહા, ગૌડ સહિતની જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પછાત જાતિઓને હવે SC કેટેગરી લિસ્ટમાં મુકવામાં આવ્યા છે. સરકારે જિલ્લા અધિકારીને આ 17 જાતિના પરિવારોને જાતિ પ્રમાણપત્ર આપવાના આદેશ આપ્યા છે.