કોરોના ફેલાવાને લઈને વિશ્વભરમાં સંશોધન થઈ રહ્યું છે. 15 મહિનાનાના કોરોના કાળમાં રિસર્ચ બાદ ભારતીય વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યું છે કે, વાયરસ ગરમીથી ખૂબ જ ઝડપથી ફેલાય છે.
ભારતીય વૈજ્ઞાનિકોનો રિસર્ચમાં દાવો
સંક્રમિત શ્વાસ છોડે તો આશરે 2 કલાસ સુધી સુધી હવામાં રહી શકે છે વાયરસના કણ
64 સ્થળોએથી લેવાયા નમૂના
અગાઉ એવું માનવામાં આવતું હતું કે શિયાળામાં વાયરસ વધુ અસર બતાવશે. ભારત સરકારના 17 વૈજ્ઞાનિકોના સંશોધનથી બહાર આવ્યું છે કે ગરમી વાયરસની ફેલાવાની ક્ષમતામાં વધારો કરે છે.
કોરોનાગ્રસ્ત જો છીંક ખાય તો કણકણ સ્વરૂપે ફેલાય છે કોરોના
સેન્ટર ફોર સેલુલર મોલિકુલર બાયોલોજી (CCMB) હૈદરાબાદના સેન્ટરના ડિરેક્ટર ડો.રાકેશ કે. મિશ્રાએ જણાવ્યું હતું કે, ઉનાળાની ઋતુમાં શ્વાસ ઝડપથી બાષ્પીભવન થાય છે. આવી સ્થિતિમાં, જ્યારે કોરોનાગ્રસ્ત વ્યક્તિ શ્વાસ બહાર કાઢે છે, ત્યારે વાયરસ નાના કણોમાં વહેંચાય છે. વાયરસના નાના કણો શ્વાસ સાથેના સ્પ્રેની જેમ ઝડપથી બહાર આવે છે. પછી લાંબા સમય સુધી હવામાં રહે છે. જો કોઈ વ્યક્તિ માસ્ક વિના તે સ્થળે પહોંચે છે, તો પછી તેને ચેપ લાગવાની સંભાવના વધી જાય છે છે. જોકે ખુલ્લા વાતાવરણમાં ચેપનું જોખમ ઓછું છે, પરંતુ જો કોઈ ચેપગ્રસ્ત વ્યક્તિ કોઈ હોલ, ઓરડા, લિફ્ટ વગેરેમાં છીંક ખાય છે, તો ચેપ લાગવાની સંભાવના ઘણી વધારે છે.
64 સ્થળોએથી લેવાયા નમૂના
હવામાં વાયરસની અસરને સમજવા માટે, વૈજ્ઞાનિકોએ હૈદરાબાદ અને મોહાલીમાં 64 સ્થળોએ નમૂના લીધા હતા. આમાં હોસ્પિટલોના આઇસીયુ, સામાન્ય વોર્ડ, સ્ટાફ રૂમ, ગેલેરીઓ, દર્દીના ઘરના બંધ અને ખુલ્લા ઓરડાઓ, વેન્ટિલેશન અને વેન્ટિલેશન વગરના મકાનો શામેલ છે.
સંશોધનમાં આ સવાલો શોધવાના પ્રયાસ કરાયા
શું હવાથી ફેલાય છે કોરોના?
ના. CCMBના પૂર્વ ડાયરેક્ટર ડો.સીએચ મોહન રાવના જણાવ્યા પ્રમાણે, વાયરસ હવાથી પણ ફેલાઇ રહ્યો છે. પરંતુ હવાથી નથી ફેલાતો. ઉદાહરણ તરીકે સંક્રમિત વ્યક્તિ ઉધરસ ખાય છે તો 2-3 મીટરના વિસ્તારમાં રહેલ વ્યક્તિ સંક્રમિત થઇ શકે છે પરંતુ વાયરસ ભોપાલ કાંડની જેમ નથી કે, પછી ગેસ હવાના પ્રવાહ દ્વારા ફેલાય છે. જો કે, વાયરસ આવી રીતે મુસાફરી કરતો નથી.
હવામાં વાયરસ કેટલાક કલાકો સુધી રહી શકે છે જીવંત?
ગરમીમાં કારણ કે, શ્વાસની સાથે નીકળેલા કણ ખૂબ જ નાના હોય છે, માટે શિયાળાના મુકાબલે તેઓ વધુ લાંબો સમય સુધી હવામાં રહેશે. તડકામાં તે ઝડપથી ખતમ થઇ જાય છે. પરંતુ ઘરમાં અંદર વાયરસ હવામાં 2 કલાક સુધી રહે છે. માટે ક્રોસ વેન્ટિલેશન ખૂબ જ જરૂરી છે.
બંધ ઓરડાઓ કેમ વધુ જોખમી છે?
હોલમાં જ્યાં કોવિડ દર્દીએ સમય પસાર કર્યો છે, હવામાં વાયરસના કણો 2-3 મીટરની રેન્જમાં હોય છે. તેથી, ઘરે સારવાર લઈ રહેલા લોકોને તેને વેન્ટિલેટેડ રૂમમાં રાખવાની સલાહ આપવામાં આવે છે.
આવી સ્થિતિમાં વાયરસ સમગ્ર હોસ્પિટલમાં છે?
તે શક્ય છે. તેથી, અમે સરકારને સૂચન આપ્યું છે કે કોવિડ હોસ્પિટલોને સામાન્ય હોસ્પિટલોથી સંપૂર્ણપણે અલગ રાખવી જોઈએ. આ ચેપના પ્રસારને અટકાવશે.
ઘરમાં જે પોઝિટિવ ન હોય તેમણે શું માસ્ક પહેરવું જોઇએ ?
જો કોઈને ઘરમાં ક્વોરન્ટાઇન છે અથવા કોરોનાના ચિહ્નો છે, તો માસ્ક તેમના માટે ફરજિયાત છે, તેમજ અન્ય લોકોએ પણ દરેક સમયે માસ્ક પહેરવો જોઈએ.
આ ભારતીય વૈજ્ઞાનિકોએ કર્યું સંશોધન
ડો.રાકેશ કે. મિશ્રા, ડો. શિવરંજની, ડો.ટી શરથચંદ્ર, ડો. આરૂષી ગોયલ, ડોક્ટર ભુવનેશ્વર ઠાકુર, ડો.ગુરૂપ્રીત સિંહ ભલ્લા સહિતના લોકો દ્વારા આ સંશોધન કરવામાં આવ્યું છે.