ગોધરા કાંડના 17 દોષિતોને જામીન મળ્યા છે. સપ્રીમ કોર્ટમાંથી 17 દોષિતોને જામીન મળી છે. 33 લોકોના મોત મામલો કોર્ટમાંથી જન્મટીમની સજા મળી હતી જેને લઈને દોષિતોએ સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી.
સુપ્રીમ કોર્ટે ગોધરાકાંડના 17 દોષિતોના જામીન કર્યા મંજૂર
33 લોકોના મોત સામે મળી હતી જન્મટીપની સજા
ગોધરાકાંડ બાદ ફાટી નિકેળા તોફાનમાં થયા હતા 33 લોકોના મોત
27 ફેબ્રુઆરી 2002ના રોજ ઉત્તરપ્રદેશથી આવી રહેલી સાબરમતી એક્સ્પ્રેસને ગોધરા પાસે અટકાવવામાં આવી હતી. આ ટ્રેન પર હુમલો કરીને આગ લગાવવામાં આવી હતી. આ ઘટનાના રાજ્યભરમાં પડઘા જોવા મળ્યા હતા.
2002માં ગુજરાતમાં થયેલા ગોધરા કાંડ મામલે સુપ્રીમ કોર્ટે સદરપુર ગામના 17 દોષિઓના જામીન મંજૂર કર્યા છે. મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડેના નેતૃત્વવાળી ખંડપીઠે દોષિઓના જામીન મંજૂર કર્યા અને જામીન સમય દરમિયાન સામાજિક કાર્ય કરવા અંગે જણાવ્યું છે.
સુપ્રીમ કોર્ટે જણાવેલા નિર્ણયમાં જણાવ્યું છે કે જે દોષિતોને જામીન આપવામાં આવ્યાં છે કે તેઓ ગુજરાતની સરહદમાં પ્રવેશ કરી શકશે નહીં. કોર્ટે જણાવ્યું છે કે જ્યાં સુધી આ લોકો પર સુપ્રીમ કોર્ટ અંતિમ ચૂકાદો ન આપે ત્યાં સુધી તેઓ ઇન્દોર અને જબલપુરમાં રહેશે. આ સાથે કોર્ટ તરફથી નક્કી કરવામાં આવેલી અન્ય શરતમાં સમાજ સેવા પણ કરવાનું સામેલ છે.
દોષિતોની બે અલગ-અલગ બેચમાં વહેંચણી કરી
કોર્ટે દોષિઓને બે અલગ-અલગ બેચમાં રાખ્યા છે. એક બેચને ઇન્દોર અને એક બેચને જબલપુર મોકલ્યા છે. સુપ્રીમ કોર્ટે બધા દોષિઓને જણાવ્યું છે કે તેઓ જમાનત પર રહે ત્યાં સુધી સામાજિક અને ધાર્મિક કામ કરે. કોર્ટ દ્વારા ઇન્દોર અને જબલપુરમાં કાયદાકીય અધિકારીઓને કહ્યું છે કે તેઓ જામીન દરમિયાન દોષિઓ દ્વારા આધ્યાત્મિક અને કોર્ટે અધિકારીઓને તેમની આજીવિકા માટે કામ કરવા પણ કહ્યું છે.