કેન્દ્ર સરકારના કૃષિ કાયદા સામે છેલ્લા આશરે 4 મહિનાથી ચાલતા આંદોલન વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
ખેડૂત આંદોલનની વચ્ચે મોટા સમાચાર
169 દિવસે રેલવે પાટા પરથી હટી ગયા ખેડૂતો
જુદા જુદા સ્થળો પર પણ ઘટી રહી છે સંખ્યા
પંજાબમાં રેલવેના પાટા પરથી હટી ગયા ખેડૂતો
કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા સામે રેલના પાટા પર ધરણાં કરી રહેલા ખેડૂતોના એક સમૂહે 169 દિવસ બાદ ગુરુવારે આંદોલન સમાપ્ત કરી લીધું છે. અહેવાલો આંસુઆર ખેડૂતોના આંદોલનના કારણે રેલગાડીઓ સ્થગિત થઈ રહી હતી જેના કારણે વેપારીઓને ભારે નુકસાન થઈ રહ્યું હતું.
Punjab: The 169-day-long blockade by protesting farmers, near Jandiala Guru railway station near Amritsar, has now been cleared. Station Master says, "We'll inform officers after which trains movement will resume. When tracks are vacated, movement will be smooth in this section." pic.twitter.com/bLBNSHmjfb
દેશમાં ખેડૂતો પોતાના આંદોલનને ધાર આપવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ખેડૂતો દ્વારા ચૂંટણીના રાજ્યોમાં જઈને મહાપંચાયત કરવાનો નિર્ણય કરવામાંઆ આવ્યો છે તથા 26મી માર્ચે ભારત બંધનું પણ એલાન કરવામાં આવ્યું છે. જોકે હવે અમૃતસરમાં રેલના પાટા પરથી ખેડૂતો દ્વારા પીછેહટ કરવામાં આવી છે. અધિકારીઓએ કહ્યું કે ખેડૂતો અહિયાંથી જતાં રહ્યા છે જેથી હવે ટ્રેનો શરૂ કરવામાં આવશે.
Amritsar: Train services resume after farm union yesterday suspended 169-day long 'dharna' on tracks ahead of the wheat harvest season
"Dharna at Jandiala Guru Railway Station suspended for the time being, passenger trains operational now", says Gurpreet Khera, Dy Commissioner pic.twitter.com/lLBXnZ16XJ
કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના નેતા સવિન્દર સિંહે કહ્યું કે તેમણે બધા જ પ્રદર્શનકારીઓની બેઠકમાં અમૃતસર-દિલ્હી માર્ગ પર દેવીદાસપૂરામાં રેલ જામને ખતમ કરી દેવાનો નિર્ણય કર્યો છે. જંડીયાલા સ્ટેશનની પાસે દેવીદાસપૂરા આવેલું છે જે અમૃતસર રેલવે સ્ટેશનથી 25 કિમી દૂર છે. સવિન્દર સિંહે કહ્યું કે ખેડૂતો માત્ર પેસેન્જર ટ્રેનને રોકી રહ્યા હતા પણ કેન્દ્ર સરકારે તો માલગાડી પણ બંધ કરી દીધી હતી જેના લીધે બધાને ખૂબ નુકસાન થઈ રહ્યું હતું. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આંદોલન સમાપ્ત કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારત બંધનું કર્યું છે એલાન
નોંધનીય છે કે કેન્દ્ર સરકાર સામે આંદોલનના ચાર મહિના 26મી માર્ચે પૂરા થઈ જશે. આ અવસર પર ખેડૂતો દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. જોકે છેલ્લા 2 3 દિવસથી એવા અહેવાલો પણ સામે આવ્યા હતા કે વિવિધ સ્થળો પર ખેડૂતોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.