સોમવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 24 લોકોના મોત થયા છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16,464 કેસ નોંધાયા
દેશમાં હાલ 1,43,989 સક્રિય કેસો છે
છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 24 લોકોના મોત
દેશમાં કોરોના વાયરસના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. દરમિયાન, સોમવારે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 16,464 નવા કેસ નોંધાયા છે. જેના પગલે કોવિડ-19ના સક્રિય કેસનો આંક વધીને 1.44 લાખ થઈ ગયા છે. દેશમાં 24 કલાકમાં કોરોનાના કારણે 24 લોકોના મોત થયા છે. દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કુલ કેસ વધીને 4,40,36,275 થઈ ગયા છે.
દેશમાં હાલ 1,43,989 સક્રિય કેસો છે
હાલમાં દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત 1,43,989 સક્રિય કેસ છે. તેમજ દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,33,65,890 લોકો કોરોના સંક્રમણથી સાજા થયા છે. ભારતમાં કોરોના સંક્રમણને કારણે કુલ 5,26,396 લોકોના મોત પણ થયા છે. બીજી તરફ દેશમાં રસીકરણની ગતિ પણ ખૂબ જ ઝડપી છે. અત્યાર સુધીમાં, કોરોના રસીના કુલ 2,04,34,03,676 ડોઝ મુકવામાં આવ્યો છે.
છેલ્લા 24 કલાકમાં કુલ 2,73,888 કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ભારતે અત્યાર સુધીમાં 87.54 કરોડ (87,54,81,509) પરીક્ષણો કર્યા છે. દેશમાં સાપ્તાહિક પોઝિટિવિટીનો દર હાલમાં 4.80% છે અને દૈનિક પોઝિટિવિટીનો દર 6.01% હોવાનું નોંધાયું છે.
જાણો દેશના અલગ-અલગ રાજ્યોમાં કેટલા વધારાના ડોઝ છે
અત્યાર સુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોને 195.63 કરોડ (1,95,63,07,825) થી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આ ભારતની ફ્રી ઓફ કોસ્ટ ચેનલ દ્વારા અને સીધી રાજ્ય પ્રાપ્તિ શ્રેણી દ્વારા સપ્લાય કરવામાં આવે છે. 7.23 કરોડ (7,23,07,840) થી વધુ વધારાની COVID રસીના ડોઝ હજુ પણ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસે ઉપલબ્ધ છે.