યુપી પંચાયત ચૂંટણીમાં ડ્યુટી દરમિયાન કોરોનાથી મોતને ભેટનાર શિક્ષકો તથા બીજા સરકારી કર્મચારીઓની સંખ્યા 1621 થઈ છે.
યુપી પંચાયત ચૂંટણીમાં ડ્યુટીમાં શિક્ષકોને રોકાયા હતા
કોરોનાથી મોતને ભેટનાર શિક્ષકોની સંખ્યા થઈ 1621
યુપી પ્રાથમિક શિક્ષક સંઘે માહિતી જાહેર કરી
યુપી પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જારી માહિતી અનુસાર, યુપી પંચાયત ચૂંટણી દરમિયાન કોરોનાથી સંક્રમિત થનાર અને ત્યાર બાદ મોતને ભેટનાર શિક્ષકો તથા કર્મચારીઓની સંખ્યા 1621 છે.
પ્રાથમિક શિક્ષક સંઘે યુપી સરકારને પત્ર લખીને ગુજરી ગયેલા તમામ શિક્ષકો તથા કર્મચારીઓના પરિવારજનોને આર્થિક સહાયતા, તથા તેમના પરિવારજનોને નોકરી આપવાની માંગ કરી છે.
આઝમગઢમાં સૌથી વધારે 68 શિક્ષકોના મોત
શિક્ષક સંઘની યાદી અનુસાર, આઝમગઢમાં સૌથી વધારે 68 શિક્ષકોના મોત થયા છે. યુપી પ્રાથમિક શિક્ષક સંઘના પ્રદેશ અધ્યક્ષ ડો.દિનેશ ચંદ્ર શર્માએ જણાવ્યું કે હાઈકોર્ટે પણ સ્વીકાર કર્યો છે કે મૃતકોના પરિવારજનોને એક-એક કરોડ રુપિયાની આર્થિક સહાયતા આપવી જોઈએ. દેશમાં કોરોનાના કેસો ઘટ્યા
કેન્દ્રી સ્વાસ્થ્ય મંત્રીના આંકડા અનુસાર રવિવારે કોરોનાના 311170 નવા કેસ નોંધાયા છે. સૌથી વધારે કેસ 7 મેના રોજ આવ્યા હતા. ત્યારે આ કેસનો આંક 4, 14, 915 નોંધાયો હતો. પરંતુ 9 દિવસમાં આ રેકોર્ડમાં 1, 03 745 ઘટાડો થયો છે. બહું ઓછા સમયમાં ઝડપથી ઘટાડો નોંધાયો છે.તેમજ સાજા થનારાની સંખ્યામાં વધારો થયો છે. 6માંથી 5 દિવસ એવા હતા જ્યારે સાજા થનારાનીં સંખ્યા સંક્રમિતો કરતા વધારે હતી. રવિવારે 55344 લોકો સાજા થયા. દેશમાં 10 મેના રોજ 3745237 એક્ટિવ કેસ હતા. 16મેના આ સંખ્યા ઘટીને 36184558 થઈ ગઈ. 6 દિવસમાં 126779 કેસ ઘટ્યા. પણ મહારાષ્ટ્ર, યુપી, બિહાર, ગુજરાત, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ તથા હરિયાણાના એક્ટિવ કેસની સંખ્યા ઘટી. પણ તમિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, કેરળ, આસામ, ઓડિશા, ત્રિપુરા તથા ઉત્તરાખંડમાં ચિંતા વધી રહી છે.