કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું છે કે છેલ્લા 3 વર્ષમાં નાદારી અથવા દેવામાં ડૂબી જવાને કારણે અથવા તો બેરોજગારીને કારણે 16 હજાર લોકોએ આત્મહત્યા કરી છે.
ગૃહમંત્રાલયે સંસદમાં માહિતી આપી
2018થી 2020 16 હજારથી વધુ લોકોએ આત્મહત્યા કરી
નાદારી અથવા દેવામાં ડૂબી જવાને કારણે લોકોએ મોત વ્હાલું કર્યું
છેલ્લા 3 વર્ષમાં નાદારી, દેવાદારી અને બેરોજગારીને કારણે 16,000 જેટલા લોકોએ આત્મહત્યા કરી હોવાનો ખુલાસો કેન્દ્ર સરકારે રાજ્યસભામાં કર્યો છે. આ આંકડો સૌથી વધારે છે. સરકારે બુધવારે કહ્યું કે 2018થી 2020 વચ્ચે 16 હજારથી વધુ લોકોએ નાદારી અથવા દેવામાં ડૂબી જવાને કારણે આત્મહત્યા કરી છે, જ્યારે 9,140 લોકોએ બેરોજગારીના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.
As per NCRB data, number of suicides due to unemployment during 2018, 2019, & 2020 stood at 9140. Number of suicide due to bankruptcy or indebtedness during this period was 16091: Union Home Ministry tells Rajya Sabha pic.twitter.com/aJKttAgFSa
બેરોજગારીના કારણે ઘણા લોકોએ આત્મહત્યા કરી હતી
આ જાણકારી ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે એક પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્યસભામાં આપી હતી. વર્ષ 2020માં બેરોજગારીના કારણે 3548 લોકોએ, 2019માં 2,851 અને 2018માં 2,741 લોકોએ આત્મહત્યા કરી હતી.
નાદારી અને દેવાને કારણે લોકોએ જીવ પણ ગુમાવ્યા
તેમણે કહ્યું કે, 2020માં 5,213 લોકોએ નાદારી કે દેવાને કારણે આત્મહત્યા કરી છે, જ્યારે 2019માં 5,908 અને 2018માં 4,970 લોકોએ આત્મહત્યા કરી હતી. રાયે કહ્યું કે સરકાર માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને અને રોજગારની તકો ઉભી કરીને આ મુદ્દાને ધ્યાનમાં લેવાનો પ્રયાસ કરી રહી છે.
બેરોજગારીના મુદ્દે વિપક્ષ સરકારને ઘેરી રહ્યો છે
સંસદમાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન, વિવિધ વિપક્ષી સાંસદો દ્વારા બેરોજગારીનો મુદ્દો ઘણી વખત ઉઠાવવામાં આવ્યો છે, જેમણે આરોપ લગાવ્યો છે કે બજેટમાં કોવિડ -19 ના પગલે દેશ નો સામનો કરી રહેલા મુદ્દાને પહોંચી વળવા માટે બહુ ઓછી જોગવાઈ કરવામાં આવી છે.