CNG ગેસના વેચાણમાં કમિશનનો વધારો નહીં થતાં એસોસિએશન દ્વારા પ્રતિક હડતાળનો નિર્ણય, માંગણી નહીં સ્વીકારાય તો અચોક્કસ મુદ્દતની હડતાળની પણ ચીમકી
સુરતમાં CNG પંપ ધારકોનું કમિશન ન વધતા પ્રતિક હડતાળ
આવતીકાલે સવારે 7 વાગ્યા સુધી હડતાળ
સુરતના 160 CNG પંપ હડતાળમાં જોડાયા
CNG પંપ બંધ રહેતા 3.50 લાખ વાહનોને થશે સીધી અસર
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં CNG પંપોના માલિકો આજથી આવતીકાલ સવાર 7 વાગ્યા સુધી હડતાળ પર ઉતર્યા છે. મહત્વનું છે કે, આજે દક્ષિણ ગુજરાતમાં 400 જેટલા સીએનજી પંપના માલિકો હડતાળમાં જોડાશે તેવી પણ ગઇકાલે એસોસિએશન દ્વારા કહેવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, CNG ગેસના વેચાણમાં કમિશનનો વધારો નહીં થતાં એસોસિએશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. માંગણી નહીં સ્વીકારાય તો અચોક્કસ મુદ્દતની હડતાળ પર જશે તેવી પણ ચીમકી ઉચ્ચારાઈ છે.
સુરતમાં CNG પંપ ધારકોની પ્રતિક હડતાળ
આજે સુરતમાં CNG પંપ ધારકોએ પ્રતિક હડતાળ કરી છે. વાત જાણે એમ છે કે, CNG પંપ ધારકોનું કમિશન ન વધતા તેઓએ પ્રતિક હડતાળનું હથિયાર ઉગામ્યુ છે. મહત્વનું છે કે, આ હડતાળ 24 કલાક એટલે કે આવતીકાલે સવારે 7 વાગ્યા સુધી રહેશે. માહિતી મુજબ આ હળતાળમાં સુરતના 160 CNG પંપ હડતાળમાં જોડાયા છે.
CNG પંપ બંધ રહેતા લાખો વાહનોને અસર
સુરતમાં CNG પંપ ધારકોએ 24 કલાક પ્રતિક હડતાળ કરતાં વાહનચાલકોને મુશ્કેલી પડી છે. મહત્વનું છે કે, આજે CNG પંપ બંધ રહેતા 3.50 લાખ વાહનોને સીધી અસર થશે. અહી નોંધનીય છે કે, પ્રતિક હડતાળ બાદ પણ કમિશન ન વધવા પર અચોક્કસ મુદ્દતની હડતાળની ચીમકી પણ ઉચ્ચારાઈ છે.
કેન્દ્રના આદેશ બાદ પણ કમિશનમાં વધારો નહિ
દક્ષિણ ગુજરાતમાં 400 જેટલા સીએનજી પંપ આજે હડતાળ પર ઉતરશે તેવું ગઇકાલે એટલે કે રવિવારે જાહેર કરાયું હતું. CNG ગેસના વેચાણમાં કમિશનનો વધારો નહીં થતાં એસોસિએશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ માંગણી નહીં સ્વીકારાય તો અચોક્કસ મુદ્દતની હડતાળ કરશે તેવું પણ જણાવ્યું હતું. આ સાથે આગામી 16મી ફેબ્રુઆરીથી અચોક્કસ મુદ્દતની હડતાળ કરશે. ઓઇલ કંપનીએ કમિશનમાં વધારો ન કરતા હડતાળનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કેન્દ્રના આદેશ બાદ પણ કમિશનમાં વધારો થયો નથી તેવું ડીલર્સ એસોસિએશને જણાવ્યું હતું.
વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવશે
ઉલ્લેખનીય છે કે, 400 જેટલા CNG ડીલરોને યોગ્ય પ્રમાણમાં કમિશન આપવામાં ના આવતુ હોવાની ફરીયાદને લઇને દક્ષિણ ગુજરાતમાં રહેલા સી.એન.જી પંપના ધારકો આજે હળતાળ પર ઉતરશે. CNG પંપ ધારકો હડતાળ પર ઉતરશે જેને લઈ રીક્ષા અને કાર ચાલકોને પરેશાની વેઠવાનો વારો આવશે. માગ પુરી ન થાય ત્યાં સુધી પંપના માલિકો દ્વારા હડતાળ યથાવત્ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.