ગુજરાત વહીવટી કેડરના 16 અધિકારીઓને IAS તરીકે બઢતી મળી છે. GAS કેડરના અધિકારીઓનું IASમાં પ્રમોશન મળતા પરિવારમાં ખુશીનો માહોલ
GAS કેડરના અધિકારીઓનું IASમાં પ્રમોશન
GAS કેડરના 16 અધિકારીઓને પ્રમોશન
IAS તરીકે તમામ અધિકારીઓને બઢતી
ગુજરાત વહીવટી કેડરના 16 અધિકારીઓને IAS તરીકે બઢતી મળી છે. GAS કેડરના અધિકારીઓનું IASમાં પ્રમોશન મળતા પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. જે અધિકારીઓને બઢતી આપવામાં આવી છે તેમાં જે.પી.દેવાંગન, એસ.ડી.ધાનાણી, ડી.એમ.સોલંકીનો સમાવેશ થાય છે. જ્યારે પી.એન.મકવાણા, એ.જે.અસારી, બી.કે.વસાવાને અને બી.બી.વાહોનીયા, આર.આર.ડામોર, એસ.પી.ભાલોરા તેમજ એલ.એમ.ડીંડોર, બી.ડી.નિનામાં, એન.વી.ઉપાધ્યાયને બઢતી આપવામાં આવી છે.
GAS કેડરના 16 અધિકારીઓને પ્રમોશન
મહત્વનું છે કે અગાઉ પણ રાજ્યમાં અધિકારીઓની બદલી અને બઢતીનો કરવામાં આવી હતી જેમાં રાજ્યના GAS કેડરના ક્લાસ-1 ના 21 અધિકારીઓને બઢતી આપવામાં આવી હતી. જ્યારે આ અધિકારીઓને સિનિયર સ્કેલ(લેવલ 12)માંથી સિલેક્શન સ્કેલ(લેવલ 13)માં મુકવામાં આવ્યા હતા.. ત્યારે વધુ એક વાર રાજ્યમાં વહીવટી કેડરના 16 અધિકારીઓને IAS તરીકે બઢતી મળી છે. જેને લઈને પ્રમોશન મળતા અધિકારીઓના પરિવાજનોમાં ખુશીનો માહોલા જોવા મળી રહ્યો છે.