રાજ્યમાં ધીમા પગલે આગળ ધપતો ઓમિક્રોન વાયરસ. ગુજરાતમાં નવા 16 કેસ સાથે કુલ આંક 153. 85 દર્દીઓ સાજા થઇ પરત ફર્યા.રાહતની મોટી વાત એ કે, અત્યાર સુધી એક પણ મોત નહિ
ઓમિક્રોન ધીમા પગલે આગળ ધપે છે
નવા 16 કેસ સાથે કુલ 152 પર આંકડો
રાજયમાં ઓમિક્રોનથી એક પણ મોત નહિ
ગુજરાતમાં કોરોનાના ફૂંફાડા સાથે જ ઓમિક્રોનના વધુ 16 કેસ નવા આવ્યા છે. અમદાવાદમાં ઓમિક્રોનના 7 કેસ, વડોદરામાં 2 કેસ, કચ્છ અને ખેડામાં ઓમિક્રોનના એક-એક કેસ, જામનગર, આણંદ જિલ્લામાં ઓમિક્રોનના 2-2 કેસ, તો સુરતમાં આજે એક મહિલાને પણ ઓમિક્રોનની પુષ્ટી થઇ છે. અત્યાર સુધી રાજ્યમાં ઓમિક્રોન વેરિયન્ટના કુલ 152 કેસ નોંધાયા છે જેમાંથી ઓમિક્રોનને માત આપીને કુલ 85 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અત્યાર સુધી ગુજરાતમાં ઓમિક્રોનને કારણે એકપણ મૃત્યુ નોંધાયું નથી