ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાંણે પાસ કન્વીનર સાથે 1500 કાર્યકરો અને કરણી સેનાના આગેવાનોએ આજે કેસરીયા કર્યા છે.
પાસના 1500થી વધુ કાર્યકરોએ કેસરીયા કર્યા
કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો
પ્રદીપસિંહ વાઘેલાએ ભાજપમાં આવકાર્યા
ખેલ પાડવામાં માહિર ભાજપે ચૂંટણી ટાણે જબરો ખેલ પાડી દીધી છે. પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે ભાજપ તરફી વાટ પકડી હતી, પરંતુ તેમની આંદોલન સમિતિ પાસના કાર્યકર્તાઓએ અત્યાર સુધી ભાજપથી દૂરી બનાવી રાખી હતી. પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાંણે પાસ કન્વીનર સાથે 1500 કાર્યકરો અને કરણી સેનાના આગેવાનો આજે ગાંધીનગર કમલમ ખાતે પહોંચી વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. પ્રદીપસિંહ વાઘેલાએ ભાજપનો ખેસ પહેરાવી તમામને ભાજપમાં આવકાર્યા હતા.
1500થી વધુ કાર્યકરોએ કેસરીયા કર્યા
મહત્વનું છે કે, જયેશ પટેલના સમર્થનમાં 20 જેટલા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના આગેવાનોએ પણ રાજીનામાં આપ્યા છે. જયેશ પટેલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પત્ર લખીને રાજીનામું આપ્યું હતું જેમાં કોંગ્રેસમાં જૂથવાદ ચાલી રહ્યા હોવાનું આક્ષેપ કર્યો હતો. આ બધાની વચ્ચે હવે કરણી સેનાના પ્રદેશ પ્રમુખે રાજ શેખાવતે પણ કેસરિયા કર્યા છે. અમદાવાદ પાસ કન્વિનર જયેશ પટેલ અને મધ્ય ગુજરાત પાસ કન્વિનર ઉદય પટેલની આગેવાનીમાં અન્ય કન્વિનરો અને ટીમ સહિત 1500થી વધુ કાર્યકરોએ કેસરીયા કર્યા હતા. જેને લઇને કોંગ્રેસની મુશ્કેલીમાં મોટાપાયે વધારો થયો છે.
રાજ શેખાવત ભાજપમાં જોડાયા
બીજી બાજુ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક નેતાઓ-આગેવાનો અલગ-અલગ રાજકીય પક્ષોમાં જોડાઇ રહ્યા છે. આ બધાની વચ્ચે હવે કરણી સેનાના પ્રદેશ પ્રમુખે આજે કેસરિયા કર્યા છે. રાજ શેખાવત હમેંશા રાજપૂત સમાજના મુદ્દા ઉઠાવતા રહ્યા છે. કરણી સેનાના રાજ શેખાવતે ખુદ ફેસબુક ઉપર પોસ્ટ કરી ભાજપમાં જોડાવાની પુષ્ટિ કરી હતી.