કર્ણાટકના રંગનાથપુરામાં એ સમયે લોકો હેરાન થઈ ગયા જ્યારે તેમને 15 ફૂટ ઉંડી ખાઈમાંથી કૂતરાના ભસવાનો અવાજ આવ્યો.
અહીં કબરમાંથી આવી રહ્યો હતો વિચિત્ર અવાજ
કર્ણાટકના રંગનાથપુરામાં બની વિચિત્ર ઘટના
નજીક જઈને જોયું તો ઉડ્યા હોંશ
મળતી માહિતી અનુસાર ઘટનાની વિગત એવી છે કે કર્ણાટકના રંગનાથપુરામાં એ સમયે લોકો હેરાન રહી ગયા હતા જ્યારે કબરમાંથી કૂતરાના ભસવાનો અવાજ આવી રહ્યો હતો. લોકોએ પાસે જઈને જોયું તો 15 ફૂટ ઊંડી ખાઈમાં 150થી વધારે કૂતરાને દફનાવી દેવામાં આવ્યા હતા. તેમાંથી કેટલાક જીવિત હતા અને સતત ભસી રહ્યા હતા. અહીંના લોકો પણ આ જાણીને હેરાન થઈ ગયા. હવે તંત્ર પણ આ જાણકારી બાદ કામે લાગ્યું છે.
કર્ણાટકના રંગનાથપુરામાં શિવમોગ્ગા એિમલ રેસક્યૂ કલબના સભ્યોએ અહીં પહોંચતા પહેલા ગ્રામીણોને થોડા પરેશાન જોયા અને એનું કારણ કબરમાંથી આવી રહેલો કૂતરાઓનો અવાજ હતો. એનિમલ રેસ્ક્યૂ ક્લબના કાર્યકર્તાઓ ઘટનાસ્થળે પહોંચ્યા તો પશુ ચિકિત્સક અને પોલીસની મદદથી શબને હટાવાયા.
શું કહ્યું રેસ્ક્યૂ ટીમે
ટીમના સભ્યએ કહ્યું કે વિશેષજ્ઞોની એક ટીમ ઘટનાનું પરીક્ષણ કરી રહી છે અને પોલીસને રિપોર્ટ સૌંપશે. આરોપ છે કે કૂતરાને દફનાવતા પહેલા તેમને ઝૈર આપવામાં આવ્યું હકું પરંતુ તેમાંથી પણ કેટલાક કૂતરાઓ જીવિત રહ્યા હતા. પોલીસે આ કેસ માટે ગ્રામ પંચાયતના અધિકારી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ સાથે સચિવે કહ્યું કે પંચાયતે કૂતરાઓને પકડવાનો કે મારવાનો આદેશ આપ્યો નથી. તેઓએ કહ્યું કે પંચાયત અધિકારી પોલીસ તપાસમાં મદદ કરશે.
શા કારણે બન્યું આવું
આ ઘટના હાસન ગામમાં 38 વાંદરાને મારીને છોડી દેવાયા બાદ થોડા સમયમાં બની. જુલાઈના અંતમાં મૃતદેહની શોધમાં કથિત રીતે હત્યા સાથે જોડાયેલા 7 લોકોની ધરપકડ કરાઈ હતી. રિપોર્ટના અનુસાર વાંદરાને પકડવા માટે એક ચર્ચિત વ્યક્તિને પકડવા અને સ્થાનાંતરિત કરવા કામે રખાયો હતો પણ તેનો હેતુ તેમને મારવાનો ન હતો. એક વન અધિકારીએ કહ્યું કે છેલ્લા કેટલાક સમયથી ગામ લોકો વાંદરાઓના ખતરાનો સામનો કરી રહ્યા છે, અને તેમના હુમલાથી ગામ લોકોને નુકસાન સહન કરવું પડી રહ્યું છે.