ચૂંટણી પહેલાજ મહેસાણા કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે. અહીયા 150 જેટલા કોંગ્રેસ આગેવાનો ભાજપમાં જોડાવાના છે. જેથી આ મુદ્દે જયરાજસિંહ પરમાર દ્વારા ટ્વીટર પર સૂચક ટ્વીટ પણ કરવામાં આવ્યું છે.
ચૂંટણી પહેલા મહેસાણા કોંગ્રેસમાં ભંગાણ
150થી વધુ કોંગ્રેસ આગેવાનો ભાજપમાં જોડાશે
જયરાજસિંહ પરમારે ફરી સૂચક ટ્વીટ કર્યું
ચૂંટણી સમયે અવાર નવાર નેતાઓ પક્ષ પલટો કરતા હોય છે. જેમા ખાસ કરીને કોંગ્રેસ નેતાઓ દ્વારા પક્ષપલટો કરવામાં આવતો હોય છે. ત્યારે આ વખતે પણ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે. તે સમયે મહેસાણા જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ જોવા મળી રહ્યું છે. જેને લઈને કોંગ્રેસ નેતા જયરાજ સિંહ પરમાર દ્વારા ટ્વીટર પર ફરી સૂચક ટ્વીટ કરવામાં આવ્યું છે. જેના કારણે તેઓ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
आज मेहसाणा राजपद से माँ बहुचर का आशीर्वाद से…शुरुआत बहुचराज़ी से….
किसको फिक्र है कि "कबीले"का क्या होगा..!
सब इसी बात पर लड़ते है कि "सरदार" कौन होगा..!!
આપને જણાવી દઈએ કે મહેસાણામાં 150 કરતા પણ વધું કોંગ્રેસ આગેવાનો ભાજપમાં જોડાવાના છે. જેમા પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજુભા દરબાર પણ ભાજપમાં જોડાવાના છે. તેમજ બહુચરાજી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વાઘુભા જાડેજા પણ ભાજપમાં જોડાશે. બહુચરાજી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રણુભા પણ ભાજપમાં જોડાવાના છે.
કોંગ્રેસ પક્ષ હંમેશા સંસદસભ્યો અને ધારાસભ્યો કેન્દ્રીત પક્ષ રહ્યો છે..
કોંગ્રેસ પક્ષમાં સંગઠનના લોકોને ક્યાંય સ્થાન હોતું જ નથી પછી સંગઠનનું મહત્વ ક્યાંથી વધે ????
બધાજ નેતાઓની પક્ષમાં અવગણના થતી હોવાનું સામે આવ્યું છે જેથી તેઓ ભાજપમાં જોડાવાના છે. જોકે આ મુદ્દે જયરાજસિંહ પરમાર દ્વારા ટ્વીટ કરીને એવું કહેવામાં આવ્યું કે, શરૂઆત બહુચરાજીથી. તેમની આ ટ્વીટ બાદ તેઓ પોતે પણ ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ બની છે. બીજી તરફ હોદ્દેદારો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે પક્ષમાં તેમની અવગણના થાય છે.
ગુજરાતના રાજકારણમાં આવ્યો ગરમાવો
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા જયરાજસિંહનું ટ્વીટ મોવડી મંડળની નિષ્ક્રિયતા તરફ આડકતરો ઈશારો કરી રહ્યો છે. સાથેજ તેમના ટ્વીટથી એવો મતલબ પણ નીકળી રહ્યો છે કે કોંગ્રેસના સંગઠનની કોઈને પડી નથી. મહત્વનું છે કે ચૂંટણી નજીક છે તેવા સમયે કોંગ્રેસના 150 નેતાઓ ભાજપમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે. સાથેજ જયરાજસિંહ દ્વારા સૂચક ટ્વીટ પણ કરવામાં આવ્યું છે જેથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.