શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં 15 ટ્રસ્ટી હશે, જેમાં એક ટ્રસ્ટી હંમેશા દલિત સમાજનો રહેશે. આ અંગેનું એલાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું છે. અમિત શાહે આ અંગેની જાણકારી ટ્વિટર માધ્યમથી કરી છે. શાહે ટવિટ કરતાં કહ્યું કે સામાજિક સોહાર્દને મજબૂત કરનાર આ મહત્વપૂર્ણ નિર્ણય માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવું છું.
અમિત શાહે કર્યું રામ મંદિર ટ્રસ્ટના સભ્યોની સંખ્યાનું એલાન
અમિત શાહે પોતાના ટવિટમાં લખ્યું છે કે ભારતની આસ્થા અને અતૂટ શ્રદ્ધાના પ્રતિક ભગવાન શ્રીરામ મંદિર પ્રતિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કટિબદ્ધતા માટે હું તેમને કોટિ-કોટિ અભિંનદન કરું છું. આજનો આ દિવસ સમગ્ર ભારત માટે અત્યંત હર્ષ અને ગૌરવનો દિવસ છે.
श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट में 15 ट्रस्टी होंगे जिसमें से एक ट्रस्टी हमेशा दलित समाज से रहेगा। सामाजिक सौहार्द को मजबूत करने वाले ऐसे अभूतपूर्व निर्णय के लिए मैं प्रधानमंत्री श्री @narendramodi जी को अनेक अनेक बधाई देता हूँ।
ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે 'શ્રીરામ જન્મભૂમિ પર સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આજે ભારત સરકારે અયોધ્યામાં પ્રભુ શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણની દિશામાં પોતાની કટિબદ્ધતા દર્શાવતા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નામના ટ્રસ્ટ બનાવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે.'
भारत की आस्था और अटूट श्रद्धा के प्रतीक भगवान श्री राम के मंदिर के प्रति प्रधानमंत्री श्री @narendramodi जी की प्रतिबद्धता के लिए मैं उनका कोटि-कोटि अभिनन्दन करता हूँ।
आज का यह दिन समग्र भारत के लिए अत्यंत हर्ष और गौरव का दिन है।
અમિત શાહના આ નિવેદન અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારના રોજ લોકસભામાં આ અંગેની જાણકારી આપી હતી કે કેબિનેટ દ્વારા અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટનું ગઠન કરવાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે. આ ટ્રસ્ટ અયોધ્યામાં ભગવાન શ્રીરામના જન્મસ્થળ પર ભવ્ય અને દિવ્ય શ્રીરામ મંદિરનું નિર્માણ અને તેના સાથે જોડાયેલ વિષયો પર નિર્ણય લેવા પૂર્ણ રીતે સ્વતંત્ર હશે.