પંજાબ કેબિનેટ વિસ્તરણમાં નવા 15 મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે. રાજ્યપાલે 15 નવા મંત્રીઓને શપથ લેવડાવ્યાં હતા.
પંજાબમાં કેબિનેટ વિસ્તરણ થયું
15 નવા મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું
સૌથી પહેલા છ વારના ધારાસભ્ય બ્રહ્મા મોહિંદ્રાએ લીધા શપથ
પંજાબમાં નવા મંત્રીમંડળમાં જોડાનારા ચહેરાઓના નામ સીલ કરી દેવામાં આવ્યા છે. રાહુલ ગાંધી અને સેન્ટ્રલ હાઈકમાન્ડ સાથે લાંબી બેઠકો બાદ પંજાબના નવનિયુક્ત સીએમ ચરણજીત સિંહ ચાન્નીએ પોતાના મંત્રીમંડળના ચહેરા પર મહોર મારી દીધી છે. પંજાબ કેબિનેટવિસ્તરણ પહેલાં જ વરિષ્ઠ મંત્રી પદના ઉમેદવાર કુલજીત નાગારાએ પોતાની દાવેદારી છોડી દીધી છે. નાગરાએ ફેસબુક પર તેની બોલી લાઇવ છોડી દીધી છે.
चंडीगढ़: कांग्रेस विधायक ब्रह्म मोहिंद्रा, मनप्रीत सिंह बादल, तृप्त राजिंदर बाजवा ने राजभवन में पंजाब सरकार के कैबिनेट मंत्रियों के रूप में शपथ ली। pic.twitter.com/57MCPPon8b
चंडीगढ़: कांग्रेस विधायक अरुणा चौधरी, सुखबिंदर सिंह सरकारिया, राणा गुरजीत सिंह और रजिया सुल्ताना ने राजभवन में पंजाब सरकार के कैबिनेट मंत्रियों के रूप में शपथ ली। pic.twitter.com/68WBeMZtoB
આ મંત્રીઓની વાપસી
પંજાબ મંત્રીમંડળમાં મનપ્રીત સિંહ બાદલ, વિજયઈન્દ્ર સિંગલા, રજિયા સુલ્તાના, બ્રહ્મ મોહિન્દ્રા, અરૃણા ચોધરી, ભારત ભૂષણ આશુ, તૃપ્ત રાજિન્દર બાજવા અને સુખ સરકારિયાની વાપસી થઈ છે.
નવા મંત્રીઓમા આ સામેલ
મંત્રી પદ મેળવનાર ધારાસભ્યોમાં રાજકુમાર વેરકા, પરગટ સિંહ, સંગત ગિલજિયા, ગુરકીરત કોટલી, કાકા રણદીપ નાભા, રાણા ગુરજીત અને અમરિન્દર સિંહ રાજા વડિંગ સામેલ છે.
આ મંત્રીઓને ઘરભેગા
કેપ્ટન કેબિનેટના સાધુ સિંહ ધર્મસોત, બલવીર સિદ્ધુ, રાણા ગુરમીત સોઢી, ગુરપ્રીત કાંગડ અને સુંદર શામ અરોરાને નવી કેબિનેટમાં સ્થાન અપાયું નથી.