ટીસીડીના એક અભ્યાસમાં જણાવાયું છે કે તાપમાન વધવાના કારણે ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ એટલે કે 64 ટકા જાનહાનિ થવાની શક્યતા છે. આ અભ્યાસના નિષ્કર્ષ ભારતમાં જળ વાયુ પરિવર્તન અને મોસમી આપદાઓના આકલન બાદ કઢાયા હતા.
આ અભ્યાસ અમેરિકાની શિકાગો યુનિવર્સિટીના ટાટા સેન્ટર ફોર ડેવલમેન્ટે કર્યો
અભ્યાસમાં એમ પણ કહેવાયું છે કે જળ વાયુ પરિવર્તનના કારણે મૃત્યુદર પણ વધી શકે
ગરમીના કારણે લગભગ 15 લાખથી વધુ લોકો મૃત્યુને ભેટી શકે
સરેરાશ વાર્ષિક તાપમાનમાં 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઇ શકે
જળ વાયુ પરિવર્તનને કારણે થતી હાનિ સંદર્ભે કરાયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ સદીના અંત સુધી ભારતમાં વધુ પડતી ગરમીના કારણે લગભગ 15 લાખથી વધુ લોકો મૃત્યુને ભેટી શકે છે. આ અભ્યાસ અમેરિકાની શિકાગો યુનિવર્સિટીના ટાટા સેન્ટર ફોર ડેવલમેન્ટે કર્યો છે. આ અભ્યાસ યુશી કાગો સેન્ટરમાં જારી કરાયો હતો. તેમાં જણાવાયું કે સતત ગ્રીનહાઉસ ગેસનાં વધુ પડતાં ઉત્સર્જનને કારણે ભારતમાં વર્ષ 2100 સુધી સરેરાશ વાર્ષિક તાપમાનમાં 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઇ શકે છે.
સદીના અંત સુધી એક લાખ લોકોમાંથી 60નાં મૃત્યુ માત્ર ગરમીના કારણે થશે
અભ્યાસમાં એમ પણ કહેવાયું છે કે જળ વાયુ પરિવર્તનના કારણે મૃત્યુદર પણ વધી શકે છે, જે દેશના હાલના મૃત્યુદરથી લગભગ 10 ટકા બરાબર હશે. જો ગેસનું ઉત્સર્જન આ જ ગતિથી જારી રહ્યું તો આ સદીના અંત સુધી એક લાખ લોકોમાંથી 60નાં મૃત્યુ માત્ર ગરમીના કારણે થશે. તેમાં જણાવાયું છે કે દેશભરમાં 35 ડિગ્રી સેલ્સિયસથી વધુ ગરમ દિવસોની સરેરાશ સંખ્યા પ્રતિ વર્ષ 8 ગણી વધી શકે છે અને ગરમી 42.8 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા છે.
પંજાબ સૌથી વધુ તપશે.
અભ્યાસમાં કહેવાયું છે કે વર્ષ 2100 સુધી દિલ્હીમાં ગરમી 22 ગણી અને હરિયાણામાં 20 ગણી વધવાની શક્યતા છે. સાથે સાથે પંજાબ અને રાજસ્થાનમાં ક્રમશ17 અને 7 ગણી વધુ ગરમી પડી શકે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે 36 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી 16 રાજ્યમાં સૌથી વધુ ગરમી પડશે અને પંજાબ સૌથી વધુ તપશે.