મંગળવારની સવાર અમંગળ સમાચાર લાવી છે. સુરતમાં એક્સિડેન્ટમાં 15 લોકોના મોત થયા છે. ત્યારે માતા-પિતાના મોત બાદ નીરાધાર બનેલી બે દીકરીઓની તસવરી હૈયુ કંપાવી દે તેવી છે.
સુરતમાં માર્ગ અકસ્માતમાં 15 શ્રમિકોના મૃત્યુ
કીમ ચાર રસ્તા નજીક આવેલા કીમ-માંડવી રોડ ઉપર અકસ્માત
બેકાબૂ બનેલા ડમ્પરચાલકે શ્રમિકોને કચડી નાંખ્યા
સુરતના કીમ ચાર રસ્તા નજીક આવેલા કીમ-માંડવી રોડ ઉપર બેકાબૂ બનેલા ડમ્પરચાલકે ફૂટપાથ ઉપર સૂતેલા 15 શ્રમિકોને કચડી નાંખ્યાં છે. આ ડમ્પરની અડફેટે બાળકો સહિત 15 લોકોના મૃત્યું થયા છે.
બે બાળકી બની નીરાધાર
સુરતમાં આજની અમંગળ અકસ્માતની ઘટનામાં ફોટોમાં દેખાતી આ બન્ને દિકરીઓ તો બચી ગઈ છે પરંતુ તેમના માથા પરથી પરિવારનો હાથ જતો રહ્યો છે જો કે મોટી બેને માં તરીકેની ફરજ નાની બેન માટે બજાવવાનું ચુકી ન હતી.
આ અંગેની પોલીસ અધિકારીઓને જાણ થતાં ઘટનાસ્થળે પહોચી ગયા હતા. અકસ્માત અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અકસ્માતમાં ડમ્પરચાલક અને કલીનર સહિત 4 લોકોને ઇજા પહોંચી છે.
ડમ્પરચાલકની અડફેટમાં આવેલા ઇજાગ્રસ્તોને શહેરની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. જ્યારે આ શ્રમિકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યાં છે.
પ્રાપ્ત મળતી પ્રાથમિક જાણકારી મુજબ આ તમામ શ્રમિકો રાજસ્થાનના કુશલગઢના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે કોસંબા પોલીસે તપાસ હાથ ધરી છે.