ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસનો કહેર વિશ્વભરમાં વધી રહ્યો છે. ભારતમાં પણ કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. ધીમે ધીમે ભારતમાં કોરોનાનો ખતરો વધી રહ્યો છે. ઇટાલીના 15 પર્યટકોને કોરોના વાયરસની પુષ્ટિ કરવામાં આવી છે.
ભારતમાં કોરોના વાયરસનો વધ્યો ખતરો
ઇટલીના 15 પર્યટકોને કોરોના વાયરસની પુષ્ટિ
AIIMSએ કોરોના વાયરસ હોવાની કરી પુષ્ટિ
પ્રાપ્ત મળતી વિગત અનુસાર દિલ્હીમાં ઇટાલીથી ફરવા આવેલા 21 પર્યટકોમાંથી 15 પર્યટકો કોરોના વાયરસથી સંક્રમિત હોવાની વિગત મળી છે. આ ઇટાલીના 15 પર્યટકોને કોરોના વાયરસ હોવાની AIIMS દ્વાર પુષ્ટિ કરવામાં આવી છે.
15 પર્યટકો કોરોના વાયરસથી સંક્રમિત હોય આ તમામ પર્યટકોને છાવલાના ITBP કેમ્પમાં રાખવામાં આવ્યાં છે. જો કે આ અગાઉ ઇટાલીના ગ્રુપે જયપુરમાં પ્રવાસ કર્યા હોવાની પ્રાથમિક વિગત સામે આવી છે.
ભારતમાં કોરોનાવાઈરસને લીધે સંક્રમિત થયેલી વ્યક્તિનો આંક 13 થયો છે. આગ્રામાં 6, કેરળમાં 3, જયપુર-દિલ્હી-તેલંગાણામાં એક એક કેસ સામે આવ્યો છે. ભારતમાં વસતા જતાં આ કેસોને જોતો તંત્રની સાથે લોકો પણ સજાગ થઇ ગયા છે અને કોરોનાથી બચવા માટે માસ્કની ખરીદી કર રહ્યાં છે.
Delhi: 14 out of 21 Italian nationals have high viral load and are asymptomatic, further tests underway. The 21 Italian nationals are currently lodged at Indo-Tibetan Border Police's (ITBP) quarantine facility in Chhawla. #COVID19
ચીનમાંથી ફેલાયેલા કોરોના વાયરસે હવે અન્ય દેશોમાં પણ હાહાકાર મચાવ્યો છે. વિશ્વભરમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 3168 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 92 હજાર 880 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. અમેરિકામાં પણ કોરોના વાયરસનો આતંક જોવા મળ્યો છે. અમેરિકામાં કોરોના વાયરસના કારણે 9 લોકોના મોત નિપજ્યા છે. વિશ્વભરમાં વધુ 51 લોકોના મોત નિપજ્યા છે. ચીનમાં અત્યાર સુધીમાં 2 હજાર 945 લોકોના મોત નિપજી ચૂક્યા છે.