નવસારી સાલેજ ગામ પાસે 90 મુસાફરો ભરેલી એસ ટી બસ રોડ ઉપરથી ઉતરી ગઈ હતી અને અકસ્માત થયો હતો જેમાં 15થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. એક તરફ એસી અમારી સલામત સવારીના નારા બોલાય છે અને બીજી તરફ આ રીતે બસ અકસ્માત થાય વઘી રહ્યા છે કારણ શુ?
નવસારીના સાલેજ ગામ પાસે બસનો અકસ્માત
બસ ચાલકની ભુલના કારણે બસ રોડ સાઇડ ઉતરી
15થી વધુ લોકો ઘાયલ થતા નવસારી હોસ્પિટલ ખસેડાયા
નવસારીના સાલેજ ગામ પાસે અક્સ્માતની ઘટના બની છે. બસ ચાલકની ભુલના કારણે બસ રોડ પરથી નીચે ઉતરી જતા અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતની ઘટનામાં 15થી વધુ લોકોને ભારે ઈંજા થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
90થી વધુ મુસાફરો સવાર
એસટી બસમાં 90 જેટલા મુસાફરો સવાર હતા ત્યારે એસટીનો અકસ્માત થયો હતો. જેમાં 15થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે જેને લીધે તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ભેગા કરવામાં આવ્યા હતા. આસપાસના ગામો અને રોડ ઉપર જતા લોકો મુસાફરોની મદદે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
બસ ડ્રાઈવર ફરાર
આ ઘટના બાદ બસ ચાલક બસને અધવચે મુકીને ફરાર થઈ ગયો છે. ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચીને બસ ચાલકને પડકડવા ચક્રો ગતિમાન કર્યા છે.