ગોંડલ નજીક આવેલા મોવિયા પાસે શ્રીનાથ ગઢ રોડ પર રિક્ષા અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે વૃદ્ધોના મોત. તો ગોંડલ નજીક ચરખડી ના પાટિયા પાસે ખાનગી બસ પલટી.
ગોંડલ નજીક અકસ્માતમાં બે વૃદ્ધોના મોત
બાઈક પર ખરીદી કરવા જતા થયો અકસ્માત
અન્ય અકસ્માતમાં ખાનગી બસ પલટી
ગોંડલ નજીક આવેલા મોવિયા પાસે શ્રીનાથ ગઢ રોડ પર રિક્ષા અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે વૃદ્ધોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ રિક્ષા ચાલક ફરાર થઇ ગયો હતો. મૃતક બંને વૃદ્ધો બાઈક લઈને ખરીદી કરવા ગયા હતા. દરમિયાન આ ગમખ્વાર દુર્ઘટના ઘટી હતી.
શ્રીનાથગઢ નજીકના જૂના વાઘણીયા ગામના બે વૃદ્ધો નાનજી ગેવરીયા ( ઉ 60)અને નાગજીભાઈ બાલધા ( ઉ 77 ) કાપડ ખરીદવા શ્રીનાથગઢ જઈ રહ્યા હતા.ત્યારે મોવિયા-શ્રીનાથગઢ રોડ પર રિક્ષા બાઈક સાથે ટકરાતા બંને વૃદ્ધોના મોત નીપજ્યા હતા. કહેવાય છે કે, છોટાહાથી મેટાડોરની આડે ગાય ઉતારી હતી, તેને બચાવવા જતા આ અક્સમાત સર્જાયો હતો.
ખાનગી બસ પલટી જતા કેટલાક ઈજાગ્રસ્ત
ગોંડલ જેતપુર નેશનલ હાઇવે પર અકસ્માત થતા 10 થી 15 જેટલા વ્યક્તિઓ ઇજા ગ્રસ્ત થયા હતા.ગોંડલ નજીક ચરખડી ના પાટિયા પાસે ખાનગી બસ પલ્ટી મારી મારતા કેટલાક મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.નેશનલ હાઇવે ઓથોરિટીની એમ્બ્યુલન્સ 108 સહિત નો સ્ટાફ ઘટના સ્થળે પહોચી જઈ ઇજાગ્રસ્તો ને એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલમાં ખસેડવાની વ્યવસ્થા કરી હતી