બનાસકાંઠા સાથે ગુજરાત સરકાર ઓરમાયુ વર્તન કરી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. છેલ્લા કેટલાક વખતથી બનાસકાંઠાના 15 બાળકોને ડિપ્થેરિયા ભરખી ગયો છે અને ડેંગ્યુમાં 10થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈન્દ્રધનુષ અભિયાનના ફિયાસ્કો થઈ ગયો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 25 ડિસેમ્બર 2014ના રોજ ઇન્દ્રધનુષ અભિયાનનો આરંભ કરાયો હતો પણ 2019માં પણ સિનારિયો જેમનો તેમ છે.
ડિપ્થેરિયા અને ડેંગીની ચુંગાલમાં છે બનાસકાંઠા
ધાનેરા, ડિસા અને લાખાણીમાં રોગચાળો ભયંકર
શું છે ઈન્દ્રધનુષ અભિયાન
બનાસકાંઠા જિલ્લામાં રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. બનાસકાંઠા આરોગ્ય વિભાગના કાબુ બહાર આ રોગચાળો થઈ રહ્યો છે જે પ્રકારે જિલ્લામાં ડેંગી, ડિપ્થેરિયા અને મેલેરિયા જેવા રોગોના દર્દીઓની સંખ્યા વધતી જાય છે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 25 ડિસેમ્બર 2014ના રોજ ઇન્દ્રધનુષ અભિયાનનો આરંભ કરાયો હતો પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી આ યોજનાનો કોઈ ઉકેલ નથી આવી રહ્યો.
સહુ થી વધુ ડિપ્થેરિયાથી 15 લોકોના મોત થઇ ચુક્યા છે અને ડેંગીથી પણ 10થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે ત્યારે બનાસકાંઠા આરોગ્ય વિભાગ વકરતા જતા રોગચાળાને નાથવા મથામણ કરી રહ્યુ છે.
ધાનેરા, ડિસા અને લાખાણીમાં રોગચાળો ભયંકર
ધાનેરા, ડિસા, લાખણીના તરિયાળ ગામડાઓમાં રોગનો ભરડો અને સકંજો મજબૂત બન્યો છે તેમાં આરોગ્ય વિભાગની જે પકડ હોય એ આ રોગ પર દિન-બ-દિન ઢીલી પડતી જાય છે અને જેને લઇને અનેક લોકો અત્યારે બીમારીમાં સપડાયા છે પરંતુ નક્કર કાર્યવાહી થતી નથી.
ખુદ કલેક્ટર પણ ચિંતિત
ડિપ્થેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો થી અને લોકોના મોત ને મામલે ખુદ કલેકટર અને ગંભીરતા લીધી છે આરોગ્ય વિભાગને સુચનો પણ કર્યા છે ત્યારે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ પણ ઉભા કરાયા છે પરંતુ જે પ્રકારે આ રોગો કાબુ બહાર જઈ રહ્યા છે અને આ રોગથી લોકોના મોત થઇ રહ્યા છે તે ચિંતાનો વિષય છે.
જિલ્લા તંત્ર લાગ્યુ કામે
જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ આ રોગ સ્થિતિમાં ગંભીરતાથી મોનીટરીંગ અને રાહત બચાવમાં આગલ આવ્યાં છે. જ્યારે બીજી તરફ આરોગ્ય વિભાગની વિવિધ ટીમોએ તમામ જગ્યાએ સર્વે કરી અને દર્દીઓને સારવાર આપવાની સૂચના આપી છે
કેવી રીતે થાય છે ડીપ્થેરીયા
ડીપ્થેરીયાનો રોગ કોરીનોબેક્ટેરીયમ ડીપ્થેરી નામક બેક્ટરીયા થી થાય છે. આ રોગના બેક્ટેરીયા મુખ્યત્વે હવા દ્વારા ચેપગ્રસ્ત મનુષ્યના સંસર્ગમાં આવતા તંદુરસ્ત મનુષ્ય માં ફેલાય છે.
ડિપ્થેરિયાના લક્ષણો
શ્વાસ લેવામાં તકલીફ પડવી,
ગળામાં કાકડા પર પીળા રંગની ચામડી થઈ જવી,
તાવ આવવો,
ખાંસી આવવી,
જમવામાં તકલીફ થવી,
ગળાના અંદરના ભાગે સોજો આવવો
શું છે ઈલાજ
આવા દર્દીને ગળામાંની લસિકા ગ્રંથિમાં ખૂબ સોજો આવવાથી ગળુ બાહરથી ખૂબ સુજેલુ લાગે છે જેને અંગ્રેજી માં બુલ નેક તરીકે ઓળખાય છે. આવા દર્દીને તાત્કાલિક સારવારની જરુરત પડે છે જેમાં મુખ્ય દવા તરીકે બેક્ટેરીયાના વિષદ્રવ્ય સામે કામ કરતુ પ્રતિવિષદ્રવ્ય આપવુ પડે છે.
ઘણા દર્દીને શ્વાસની તકલીફ હળવી કરવા શ્વાસનળીમાં છેદ કરીને એક શ્વસનનળી પણ મૂકવી પડે છે. દર્દી કદાચ શરુઆતની આ તકલીફોમાંથી હેમખેમ બચી જાય તો પણ લાંબા ગાળે બેક્ટેરીયાના વિષદ્રવ્યની અસરથી થતી રોગની અન્ય તકલીફો કે જેમાં હૃદય પર ઘાતક અસરો અને ચેતા નસો પર અસર થવાથી લકવા જેવી બિમારી સામે ક્યારેક ઝઝૂમવુ પડે છે.
શું છે ઈન્દ્રધનુષ અભિયાન
ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 25 ડિસેમ્બર 2014ના રોજ ઇન્દ્રધનુષ અભિયાનનો આરંભ કરાયો હતો. 2009 થી 2013ના ગાળામાં રસીકરણનો લાભ 61 થી 64 ટકાએ પહોંચ્યો હતો. જેમાં વાર્ષિક 1 ટકાની જ સફળતા ગણાય. સરકારે આ એક ટકાની ગણતરીને ધ્યાનમાં લઈને 2020ની સાલ સુધીમાં તમામ બાળકોને રસીકરણ કાર્યક્રમમાં આવરી લેવા માટે વાર્ષિક 5 ટકાનો વૃદ્ધિદરનો લક્ષ્યાંક રાખવાના હેતુથી ઇન્દ્રધનુષ અભિયાન શરૂ કર્યુ છે.
ઈન્દ્રધનુષ અભિયાન હેતુઓ
રસી દ્વારા અટકાવી શકાતા રોગોનો ભોગ એક પણ બાળક ન બને તે માટે સાલ 2020 સુધીમાં દેશના તમામ બાળકોને આવરી લેવા છે. 12 જીવલેણ રોગો સામે બાળકોને રક્ષણ આપવા દર વર્ષે 2.60 કરોડ બાળકોને સાર્વત્રિક રસીકરણ યોજના હેઠળ રસી મૂકવામાં આવે છે. ક્ષય, ડીપ્થેરીયા, ધનીર, પોલીયો, કમળો, ન્યુમોનિયા, મગજનો તાવ, ઇન્ફ્લ્યુએન્ઝા-ટાઈપ-બી, ઓરી, અછબડા, જાપનીઝ અન્સિફેલાઈટીઝ, રોતા વાઈરસ ડાયેરિયા વગેરે રોગોથી બાળકોને બચાવવા માટે વિવિધ પ્રકારની જીવનરક્ષક રસીઓ વિનામૂલ્યે આપવામાં આવે છે.