હિમાચલ પ્રદેશના કુલ્લૂ જિલ્લામાં એક બસ ખીણમાં પડી જતા 44 લોકોના મોત થયા છે. જ્યારે 30થી વધારે ઘાયલ થયા છે. કૂલ્લૂની પોલીસ સુપ્રિટેન્ડેન્ટ શાલિની અગ્નિહોત્રીએ કહ્યું કે ખાનગી બસ બંજાર તહસીલમાં ભિયોઠ વળાંક પાસે ખીણમાં પડી ગઇ હતી. બસમાં ક્ષમતા કરતા વધારે યાત્રાળુ સવાર હતા. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે બસ પોતાની ક્ષમતા કરતા વધારે મુસાફરોને લઇ જઇ રહી હતી.
બસના ડ્રાઇવરે કાબૂ ગૂમાવ્યો હતો. બસ કુલ્લૂથી ગડ ગુશાની જઇ રહી હતી.ખીણમાં ઘાયલોને નીકાળવા માટે પોલીસ અને સ્થાનિય લોકોએ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. નદીના તેજ વહાવ વચ્ચે સ્થાનિય લોકોની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.
આ દુખદ ઘટના પર વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, 'કુલ્લૂમાં થયેલી રોડ દુર્ઘટનાથી ખુબ જ દુખી છું. દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. હું ઘાયલોના જલ્દી જ ઠીક થવાની કામના કરું છું. હિમાચલ પ્રદેશ સરકાર સંભવ સહાયતા કરી રહી છે'.
Deeply saddened by the bus accident in Kullu. Condolences to the families of those who lost their lives. I hope the injured recover soon. The Himachal Pradesh Government is providing all possible assistance that is required: PM @narendramodi
જ્યારે આ દુર્ઘટના પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરીને કહ્યું કે, 'હિમાચલ પ્રદેશના કુલ્લૂમાં થયેલી બસ દુર્ઘટના દુખદ છે. દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. અને ઘાયલો જલ્દી સ્વસ્થ્ય થાય તેવી કામના કરુ છું. હું આ ક્ષેત્રના કોંગ્રેસ પાર્ટી કાર્યકર્તાઓને પીડિતોની મદદ કરવા અનુરોધ કરું છું.'
બસ કુલ્લૂ જિલ્લાના બંજારથી એક કિલોમીટર આગળ ભિયોઠ વળાંક પાસે 500 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઇ હતી. બસ કુલ્લૂથી ગાડાગુશેણી તરફ જઇ રહી હતી. ખીણમાં ઘાયલોને નીકાળવા માટે પોલીસ અને સ્થાનિય લોકોએ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. નદીના તેજ વહાવ વચ્ચે સ્થાનિય લોકોની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.
Himachal Pradesh: 20 injured after a private bus fell into a deep gorge near Banjar area of Kullu district. Rescue operations underway. The bus carrying around 50 passengers was on its way from Banjar to Gadagushani area pic.twitter.com/HGBzeRuULP
આ અકસ્માત એટલો ભીષણ હતો કે બસના કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતમાં જે લોકો બચી ગયા તેમનું કહેવું છે કે, ભીષણ અકસ્માત થયો હોવા છતા અમે જીવીત છીએ. આ કોઇ ચમત્કારથી ઓછુ નથી.