ઉત્તર પ્રદેશમાં વરસાદનો કહેર જોવા મળ્યો છે. સતત છેલ્લા બે દિવસથી લખનઉ તેમજ આસાપસના વિસ્તારમાં મધ્યથી ભારે વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદના કારણે શુક્રવાર સાંજ સુધીમાં અલગ-અલગ જિલ્લાઓમાં જોવા મળેલી દૂર્ઘટનામાં 15 લોકોનાં મોત નિપજ્યાં છે.
15 dead, 133 buildings collapse as rainfall wreaks havoc in UP
જ્યારે ભારે વરસાદના કારણે અંદાજે 133 મકાન ક્ષતિગ્રસ્ત થયા છે. આ સાથે 23થી વધારે અબોલ પશુનાં મોત થયા છે. ભાર વરસાદના કારણે ઉત્તર પ્રદેશના અંબેડકર નગરમાં 9 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે હરદોઇમાં 1, ગોરખપુરમાં 1, સોનભદ્રમાં 1, ચંદૌલીમાં 1, મરૂમેં 1, સુલ્તાનપુરમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.
ઉત્તરાખંડમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી
ઉત્તરાખંડમાં હજુ પણ આગામી 3 દિવસ ભારે છે. હવામાન વિભાગનું માનીએ તો ઉત્તરાખંડમાં ભારે વરસાદ લોકોના હાલ બેહાલ કરી શકે છે. હવામાન વિભાગે દેહરાદૂન, નૈનીતાલ, ચંપાવત, ઉધમસિંહનગર, પિથૌરાગઢ, ચમોલી, ટિહરી, પૌડી અને હરિદ્વાર સહિતના વિસ્તારોમાં અલર્ટ જાહેર કર્યું છે.
હલદાનીમાં છેલ્લા 24 કલાકથી થયેલા ભારે વરસાદના કારણે ભારે નુકસના પહોંચ્યું છે. કુમાઉ મંડળમાં બે રાષ્ટ્રીય રાજમાર્ગ સહિત 18 માર્ગો બંધ થઈ ગયા છે. જેના કારણે હજારો વાહનો ફસાઈ ગયા છે. ભારે વરસાદ બાદ ઉત્તરાખંડની મોટા ભાગની નદીઓ પણ ભયજનક સપાટીએ વહી રહી છે. જેના કારણે તંત્રએ લોકોને અલર્ટ કર્યા છે.