કોરોનાની પરિસ્થિતિના કારણે સ્મશાનગૃહમાં પણ વેઈટિંગ ચાલી રહ્યું છે, વડોદરા કોંગ્રેસ પ્રવક્તા નરેન્દ્ર રાવતે તમામ સ્મશાનગૃહની મુલાકાત લઈ મોતનો આંકડો મેળવ્યો હતો
નરેન્દ્ર રાવત પહોંચ્યા સ્મશાનગૃહ
કોંગ્રેસ આ મામલે તંત્રને કરશે રજૂઆત
15 દિવસનું લોકડાઉન કરવા કરી માંગ
વડોદરામાં કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવત સ્મશાનગૃહ પહોંચ્યા હતા. તમામ સ્મશાનગૃહમાં વિઝિટ કરી મોતનો આંકડો મેળવ્યો હતો. સાથે નરેન્દ્ર રાવતે કહ્યું કે, વડોદરામાં 15 દિવસનું લોકડાઉન લગાવી દેવું જોઈએ. નરેન્દ્ર રાવત સહિત કોંગ્રેસ આ મામલે તંત્રને રજૂઆત કરશે. સાથે VTVને સાચા આંકડા બતાવવા અને સત્ય ઉજાગર કરવા અભિનંદન પણ આપ્યા હતા. કોંગ્રેસ નેતાએ કહ્યું, શહેરમાં કોરોનાને લઈ થતા મોતનો આંકડો ચિંતાજનક છે.
વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેમાં એક દિવસમાં વધુ 395 કેસ નોંધાયા છે. અત્યાર સુધી શહેરમાં કોરોનાના 31,106 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં 5678 સેમ્પલમાંથી 395 કેસ પોઝિટિવ નોંધાયા હતા. તો શહેરમાં હાલ વડોદરામાં 111 દર્દીઓની હાલત ગંભીર છે.
વડોદરામાં રેસિડેન્ટ ડૉક્ટરોનો સરકાર વિરૂદ્ધ રોષ ફેલાયો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ડૉક્ટરો અંગેના નિવેદનથી રોષ જાગ્યો છે. સ્ટાઈપેન્ડ આપવાની જાહેરાત બાદ અગાઉ હડતાળ સમેટાઈ હતી. 25 હજારનું સ્ટાઈપેન્ડ અને ઇન્સેન્ટિવ ન મળતા પણ તબીબોમાં રોષ છે. બરોડા મેડિકલ કોલેજમાં 50થી વધુ નિવાસી ડોકટરોએ વિરોધ નોંધાવ્યો છે. ડૉક્ટરોની માંગણીઓ નહીં સંતોષવામાં આવે તો હડતાળની ચીમકી આપી છે.