રાહુલ ગાંધીની નાગરિકતાને લઈને વિવાદ ઉભો થયો હતો. ત્યારે હવે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ રાહુલ ગાંધીને નિશાને લીધા છે. રાહુલ ગાંધીને નિશાને લેતાં સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, બંધારણના આર્ટિકલ 9 મુજબ રાહુલ ગાંધી ભારતીય નાગરિક ના હોઈ શકે.
RG had asked for another 15 days to reply to the Home Ministry Notice on my charge that he was a British national and hence cannot be Indian citizen vide Article 9 of Constitution. Even that 15 days period is over. No reply!!
ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ વધુ જણાવ્યું કે, બ્રિટિશ નાગરિક હોવાની મારી ફરિયાદ પર કોંગ્રેસે ગૃહ મંત્રાલય પાસે 15 દિવસનો સમય માગ્યો હતો. 15 દિવસની સમસ્યા હવે ખતમ થઈ ચૂકી છે. પરંતુ હજુ સુધી જવાબ આપ્યો નથી.
તમને જણાવીએ કે, સુબ્રમણ્યમે રાહુલ ગાંધીની નાગરિકતાને લઈને ગૃહ મંત્રાલયમાં ફરિયાદ કરી હતી અને બાદમાં ગૃહ મંત્રાલયે રાહુલ ગાંધીને નોટિસ જાહેર કરીને જવાબ માગ્યો હતો. તો સુપ્રીમ કોર્ટે પહેલા જ આ મામલે જાહેરહિતની અરજી ફગાવી હતી. જેમાં રાહુલ ગાંધી પર બે નાગરિકતાનો આરોપ હતો. આ મામલે સીબીઆઈ તપાસની પણ માગ ઉઠી હતી. ત્યારે હવે સુબ્રમણ્ય સ્વામીએ ટ્વીટ કરીને રાહુલ ગાંધીને જવાબ આપવાનું યાદ અપાવ્યું છે.