રાજ્યમાં રોગાચાળાએ દહેશત ફેલાવી છે. ડેન્ગી અને મલેરિયાએ હાહાકાર મચાવી દીધો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલના ખુદ 60 ડૉક્ટરો અને નર્સ સહિત CRPFના 15 જવાનો ડેન્ગી અને મલેરિયાના ભરડાંમાં આવ્યા છે. આ સાથે ત્રણ બાળકો રોગચાળામાં ભોગ લેવાયો છે. રાજ્યભરની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. અનેક હોસ્પિટલોમાં ICU અને NICU બેડ ખાલી નથી.
CRPFના 15 જેટલા જવાનો ડેન્ગ્યુ અને મલેરિયાનો ભોગ
સુરતમાં 20 જેટલા રેસિડેન્ટ ડોક્ટરો પણ મલેરિયા અને ડેંગીની ઝપેટમાં
અમદાવાદમાં મચ્છરોના બ્રિડિંગ મળી આવતા 3 હોસ્પિટલોને નોટિસ
રાજ્યમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. મોટા શહેરોની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. ત્યારે દર્દીઓ સાથે ડોક્ટર પણ બીમાર પડી રહ્યાં છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલથી લઈને રાજ્યની તમામ હોસ્પિટલમાં ડેન્ગી, મેલેરિયાના રોગચાળાએ માઝા મૂકી છે.
60 ડોક્ટર- નર્સ ડેંગીનો શિકાર
અમદાવાદ સિવિલ હોસ્પિટલના 60 ડોક્ટર અને નર્સને ડેંગી થયો છે. અમદાવાદમાં મલેરિયાના 447 કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદ સિવિલમાં છેલ્લા 24 કલાકમાં 10 ડેંગીના કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ ચાંદખેડા અને ગોતામાં ડેંગીના કેસ નોંધાયા છે.
CRPFના 15 જેટલા જવાનો ડેન્ગી અને મલેરિયાનો ભોગ
રાજ્યમાં મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે. ત્યારે CRPFના જવાનો પણ માંદગીના બિછાને છે. CRPFના 15 જેટલા જવાનો ડેંગી અને મલેરિયાનો ભોગ બન્યા છે. એકસાથે 15 જેટલા જવાનોને અમદાવાદ સિવિલમાં દાખલ કરાયા છે. CRPFના જવાનો હોસ્પિટલના E5 વોર્ડમાં સારવાર લઈ રહ્યાં છે.
21 દિવસમાં 1000 ડેન્ગી- મેલેરિયાના કેસ
મચ્છરોનો ઉપદ્રવ સૌથી વધુ ઇસનપુરમાં જોવા મળ્યો છે. તો વટવા, લાંભામાં પણ મચ્છરોનો ઉપદ્રવ છે. અમદાવાદમાં 21 દિવસમાં ડેંગી અને મલેરિયાના એક હજાર કેસ નોંધાયા છે.
રોગચાળામાં 3 બાળકોના મોત
રોગચાળાથી 3 બાળકોના મોત નિપજ્યા છે. ઉપરાંત મચ્છરોના બ્રિડિંગ મળી આવતા 3 હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી છે. યુએન મહેતા, એપોલો ફાર્મસીને નોટિસ અપાઇ છે.
સુરતમાં પણ રોગચાળો બેકાબૂ
સુરતમાં પણ રોગચાળો બેકાબૂ બન્યો છે. સુરત શહેરમાં મલેરિયાને 178 કેસ, ડેંગીના 71 કેસ, ટાઇફોઇડના 133 કેસ નોંધાયા છે. જ્યારે સામાન્ય તાવના 152 કેસ અને ગેસ્ટ્રોના 120 કેસ નોંધાયા છે અને કમળાના 111 કેસ નોંધાયા છે. જ્યારે સ્મીમેરના 20 જેટલા રેસિડેન્ટ ડોક્ટરો પણ મલેરિયા અને ડેંગીની ઝપેટમાં છે.