ભાજપના 15 નેતાઓ અને કાર્યકર્તાઓએ પોતાની નારાજગી જાહેર કરતા પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો
ફિલ્મ મેકર આયશા સુલ્તાના વિરૂદ્ધ રાજદ્રોહ મામલો
ભાજપના 15 નેતાઓએ એક સાથે સામુહિક રાજીનામુ આપી દીધુ
પ્રફુલ્લા ખોડા પટેલે પર રાજદોહનો કેસ
ફિલ્મ મેકર આયશા સુલ્તાના વિરૂદ્ધ રાજદ્રોહ મામલે લક્ષદ્વીપમાં ભાજપના 15 નેતાઓએ એક સાથે સામુહિક રાજીનામુ આપી દીધુ છે. ફિલ્મકાર આયશા સુલ્તાનાએ પ્રશાસનક પ્રફુલ્લા ખોડા પટેલે કોરોના સામેની જંગની આલોચના કરી હતી. ત્યાર બાદ તેમના પર રાજદ્રોહ અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાને લઈને કેસ દાખલ થયો છે. તેમના પર કરવામાં આવેલી કાયદાકીય કાર્યવાહી બાદ ભાજપના 15 નેતાઓ અને કાર્યકર્તાઓએ પોતાની નારાજગી જાહેર કરતા પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો હતો. જોકે આ કેન્દ્ર સાશિત પ્રદેશમાં ભાજપ અધ્યક્ષની ફરિયાદ પર પણ ફિલ્મમેકર પર મામલો દાખલ કરવામાં આવ્યો છે.
ભાજપના 15 નેતાઓ અને કાર્યકર્તાઓએ આપ્યા રાજીનામા
ભાજપના નારાજ 15 નેતાઓ અને કાર્યકર્તાઓએ હસ્તાક્ષર કરી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી અબ્દુલ ખાદર હાજીને ચિઠ્ઠી લખી છે. જેમાં કહ્યું છે કે લક્ષદ્વીપમાં ભાજપ આ વાતથી જાણકાર છે કે કઈ રીતે વર્તમાન પ્રશાસક પટેલની હરકતે જનવિરોધી, લોકતંત્ર વિરોધી અને લોકો માટે વધુ પીડાનું કારણ બની છે.
આ ચિઠ્ઠીમાં નારાજ નેતાઓએ હાજીને આ મુદ્દા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મુલાકાત કરવા અને ફરિયાદ રજૂ કરવાને લઈને યાદ પણ આપાવી છે. ચિઠ્ઠીમાં કહેવામાં આવ્યું છે કે તમને આ વાતની જાણકારી છે કે લક્ષદ્ધીપમાં ભાજપાના ઘણા નેતા પહેલા જ પ્રશાસક અને જિલ્લા અધિકારીના વિવિધ ખોટા કામો વિરૂદ્ધ અવાજ ઉઠાવી ચુક્યા છે.
પત્રમાં ખોટી ફરિયાદ હોવાની વાત કહેવામાં આવી
ફિલ્મમેકર આયશા સુલ્તાનાના સમર્થન આ નેતાઓને કહ્યું કે આ તો એવું થયું તે ચેતલાટ નિવાસી આયશા સુલ્તાનને પણ મીડિયામાં પોતાનો મત શેર કર્યો. પોલીસમાં તમારી ફરિયાદના આધાર પર આયશા સુલ્તાના વિરૂદ્ધ કેસ દાખલ કરાવામાં આવ્યો છે. જેણે એક ચર્ચા વખતે લક્ષ્યદ્વીપમાં વર્તમાન પ્રશાસકના આગમન અને તેમના અવૈજ્ઞાનિક, બેદરકારી ભર્યા નિર્ણયોની સાથે એક પણ કોરોનાના કેસ નહીં હોવાથી લઈને મોટા પાયે મામલાની વાત કરી હતી.
ચિઠ્ઠીમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તમે આયશા બહેન વિરૂદ્ધ ખોટી અને અનુચિત ફરિયાદ દાખલ કરી છે. તેમના પરિવાર અને તેમના ભવિષ્યને બર્બાદ કરી દીધું છે. અમે તેના પર મોટી આપત્તિ વ્યક્ત કરીએ છીએ અને ભાજપામાંથી પોતાની પ્રાથમિક સદસ્યતાથી રાજીનામું આપીએ છીએ. આ ચિઠ્ઠીમાં ભાજપના રાજ્ય સચિવ અબ્દુલ હમીદ મુલ્લીપુઝા સહિત અન્ય ઘણા નેતાઓએ પોત પોતાના હસ્તાક્ષર કર્યા છે.