15 ઓગસ્ટ 1947ની સવાર ભારત અને 15 ઓગસ્ટ 2020ની સવારનું ભારતનું ભૌતિક સ્વરૂપ અલગ છે. ત્યારે આપણને આઝાદી મળી હતી પણ દેશના અનેક વિસ્તારો એવા હતા જે 15 ઓગસ્ટ 1947એ ભારતનો ભાગ ન હતા. આ ક્ષેત્ર હવે ભારતીય સંઘનો અતૂટ ભાગ છે. ભારતના આ એકીકરણની પાછળ લોહ પુરુષ સરદાર પટેલની કૂટનીતિ અને પંડિત નહેરુની દૂરદ્ષ્ટિ જવાબદાર છે.
આજે દેશમાં ઉજવાઈ રહ્યો છે સ્વતંત્રતા દિવસ
15 ઓગસ્ટ 1947ના દિવસે આ દેશો સ્વતંત્ર ભારતનો ભાગ ન હતા
આજે આ ક્ષેત્ર ભારતીય સંઘનો અતૂટ ભાગ છે
હૈદરાબાદ
15 ઓગસ્ટ 1947ની આસપાસ હૈદરાબાદની આબાદી 1 કરોજ 60 લાખ હતી. હૈદરાબાદ સંપન્ન રિયાસત હતી અને તેના રાજ્યથી નિઝામને વાર્ષિક 26 કરોજની આવક થતી હતી. ત્યારે નિઝામ મીર ઉસ્માન અલી હૈદરાબાદ પર શાસન કરી રહ્યા હતા. ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947ના રોજ રિયાસતોને એે વિકલ્પ અપાયો કે ભારત કે પાકિસ્તાનમાં તે સામેલ થઈ શકે છે. એક સ્વતંત્ર સંપ્રભુ રાજ્યના રૂપમાં પોતાને સ્થાપિત કરી શકે છે. નવાબ ઈચ્છતા હતા કે હૈદરાબાજ બ્રિટિશ કોમનવેલ્થના સભ્ય બને. લોર્ડ માઉન્ટ બેટને તેને નકારી દીધા. ભારત 15 ઓગસ્ટ 1947ના રોજ હૈદરાબાદ વિના જ આઝાદ થયું હતું.
પટેલ કોઈ પણ સ્થિતિમાં હૈદરાબાદને ભારતથી દૂર રાકવા તૈયાર ન હતા. નિઝામને જનમત સંગ્રહની ઓફર મળી. 85 ટકા હિન્દુ આબાદી પર રાજ કરી રહેવા નિઝામે આ ઓફરને ઠુકરાવી. 9 સપ્ટેમ્બર 1948એ ભારતે નક્કી કર્યું કે હૈદરાબાદમાં હવે સૈન્ય કાર્યવાહી સિવાય કોઈ વિકલ્પ નથી. સેનાના દક્ષિણી કમાનને તેની સૂચના આપવામાં આવી કે તેઓએ 13 સપ્ટેમ્બરની સવારે હૈદરાબાદમાં પ્રવેશ કરવો છે. 4 દિવસ સુધીના સંઘર્ષ બાદ 17 સપ્ટેમ્બર 1948ની સાંજે હૈદરાબાદની સેનાએ સમર્પણ કર્યું, 18 તારીખે મેજર જનરલ ચૌધરીની અધ્યક્ષતામાં ભારતીય સેના શહેરમાં દાખલ થઈ. કુલ મળીને આ ઓપરેશન 108 કલાક ચાલ્યા બાદ તે ભારતનું અંગ બન્યું.
કાશ્મીર
15 ઓગસ્ટ 1947ના રોજ કાશ્મીર એક રિયાસત હતી જેને હિંદુ રાજા હતા ડોગરા શાસક મહારાજા હરિસિંહ. તેનો ત્રણ ચતૃર્થાંશ ભાગ મુસલમાન હતો. પાકિસ્તાનથી આ રિયાસતની રિયાયાનું માલ અસબાબનું લેનદેન હતું, મહારાજા હરિ સિંહે ભારત અને પાકિસ્તાનની સાથે સ્ટેંડસ્ટિલ કરાર કરવાનું નક્કી કર્યું. આ કરારનો મતલબ હતો કે તેમને ભારત કે પાકિસ્તાનમાં વિલય કરવા માટે થોડો વધારે સમય મળે. પાકિસ્તાનની નજર કાશ્મીર પર હતી. 24 ઓક્ટોબર 1947ના રોજ પાકિસ્તાને કબાયલી લડાકોને કાશ્મીર પર આક્રમણ કર્યું. તેમને પાકિસ્તાનની સેનાનો સાથ મળ્યો હતો. શ્રીનગરની તરફ તેઓ આગળ વધી રહ્યા હતા ત્યારે મહારાજા હરિ સિંહ તેમની સેનાને લઈને હેરાન હતા. તેઓએ ભારત સરકારની પાસે સૈન્યની મદદ માંગી. ભારત સરકાર સૈન્યની મદદ માટે તૈયાર હતી પણ ભારતે કહ્યું કે હરિ સિંહને જમ્મૂ કાશ્મીરના ભારતમાં વિલય કરવાનો રહેશે. આ સમયે હરિસિંહે હસ્તાક્ષર કર્યા અને સાથે જ કાશ્મીર ભારતનું ખાસ અંગ બન્યું.
જૂનાગઢ
15 ઓગસ્ટ 1947ના રોજ ગુજરાતના દક્ષિણ પશ્ચિમમાં એક અન્ય રિયાસત જૂનાગઢ ભારતમાં સામેલ ન થઈ. આ રિયાસતની મોટાભાગની જનસંખ્યા હિંદુ હતી અને રાજા મુસ્લિમ હતા. જૂનાગઢના નવાબ મોહબ્બત મહાબત ખાનજીએ માઉન્ટ બેટનની સલાહને ધ્યાનમાં રાખીને 15 સપ્ટેમ્બર 1947ના રોજ પાકિસ્તાનમાં સામેલ થવાનું નક્કી કર્યું. ભારત સરકારને ખ્યાલ આવ્યો તો દિલ્હીમાં ખળભળાટ મચ્યો. તે સમયના ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ તરત જ મિશનમાં જોડાયા. ભારત સરકારે જૂનાગઢને માટે ઈંધણ અને કોલસાનો સપ્લાય રોકી દીધો. ભારતીય સેનાને મંગરોળ અને બાબરિયાવાડથી નવાબનો રૂતબો છીનવી લેવાયો, ભારતનું કડક વલણ અને જનતાનો મિજાજ જોતાં અહીંના નવાબ કરાંચી ભાગ્યા. 20 ફેબ્રુઆરી 1948માં જૂનાગઢમાં જનમતનો સંગ્રહ કરાયો, તેમાં 91 ટકા લોકોને ભારતના પક્ષમાં વિલયનો મત મળ્યો.
ગોવા, દમણ, દીવ અને નગર હવેલી
ભારતમાં સમુદ્રનું સોંદર્ય દર્શન કરાવનારું ગોવા 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયું નહીં. ઈન્ડિયા ઈન્ડિપેન્ડન્સ એક્ટ 1947ને મદદથી અંગ્રેજોએ પોતાની જમીન ભારતને સોંપવાની જાહેરાત કરી. આ સમયે તેનો કેટલોક ભાગ પોર્ટુગલમાં હતો. ગોવા પર 1510થી જ પોર્ટુગલનું શાસન હતું. તે સમયે દમણ અને દીવ પણ ગોવાનો ભાગ હતો. 2 ઓગસ્ટ 1954ના રોજ ગોવાની રાષ્ટ્રવાદી તાકાતે દાદરા નગર હવેલીની વસ્તી પર કબ્જો કર્યો અને સાથે ભારત સમર્થક સ્થાનીય સરકારની સ્થાપના કરી. 1961માં દાદરા નગર હવેલીને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરાયો. ત્યારબાદ પોર્ટુગલ શાસિત પ્રદેશોને માટે આર્થિક પ્રતિબંધ શરૂ કરાયો. તો દાદરા અને નગર હવેલી છીનવ્યા બાદ પોર્ટુગલ અકળાયા અને સાથે જ આફ્રિકાના દેશ અંગોલા અને મોઝામ્બિકની તરફથી સેના મંગાવી. ગોવા દમણ અને દીવમાં 8000 યૂરોપિયન, આફ્રિકન અને ભારતીય સૈનિક તૈનાત કરવામાં આવ્યા. 19 ડિસેમ્બર 1961ના તત્કાલીન પોર્ટુગલ ગર્વનર મૈન્યૂ વાસલો ડી સિલ્વાએ ભારતની સામે સરેન્ડર કર્યું.
પોડિચેરી
આઝાદીના સમયે ગોવા, દમણ, દીવ અને દાદરા પોર્ટુગલનો ભાગ હતો. આઝાદી બાદ તેઓ ભારતમાં સામેલ થવાની કોશિશમાં લાગ્યા. આ સિવાય કરાઈકલ, માહે અને યનામ પણ ફ્રાંસના કબ્જામાં હતું. 18 ઓક્ટોબર 1954એ પોડિચેરી અને કરાઈકલના સ્થાનિક અધિકારીઓના પ્રતિનિધિ એક જનમત સંગ્રહમાં સામેલ થયા. આખરે 16 ઓગસ્ટ 1962માં ફ્રાંસની વચ્ચે પોન્ડિચેરીની ઔપચારિકતા પૂર્ણ થઈ.
સિક્કિમ
ભારતીય ગણરાજ્યની સંપૂર્ણ આઝાદીનો એજન્ડા સિક્કિમને ભારતમાં સામેલ કર્યા વિના અધૂરો હતો. 15 ઓગસ્ટે દેશને આઝાદી મળી તો સિક્કિમ તેનો ભાગ ન હતો. અહીં ચોગ્યાલ શાસન હતું. 1962માં ભારત ચીન યુદ્ધ બાદ ભારતને લાગ્યું કે સિક્કિમને ઈન્ડિયન રિપબ્લિકમાં ભેળવી લેવું જરૂરી છે. ત્યારે દેશની પીએમ ઈન્દિરા ગાંધી હતી. 6 એપ્રિલ 1975ની સવારે ચોગ્યાલના રાજમહેલને 5000 ભારતીય સૈનિકોએ ઘેરી લીધું. આ સમયે અહીં 243 ગાર્ડો પર કાબૂ મેળવ્યો. ચોગ્યાલને નજરબંધ કરાયા. સિક્કિમમાં તેનો જનમત સંગ્રહ કરાયો. અહીં ભારતને 22મું રાજ્ય બનાવવાનું સંશોધન વિધેયક પાસ થયું.
મણિપુર - ત્રિપુરા
15 ઓગસ્ટ 1947ને મણિપુરમાં સંપૂર્ણ રૂપથી ભારતનો ભાગ નથી. મણિપરનું પોતાનું સંવિધાન હતું પણ ભારત સરકારે આ સંવિધાનને માન્યતા મળી નથી. જૂન 1948માં રાજ્યમાં ચૂંટણી થઈ. મણિપુરમાં ભારતના વિલયને લઈને મતભેદ હતો. ભારત સરકારે સપ્ટેમ્બર 1949માં મણિપુર વિધાનસભાના પરામર્શ વિના વિલય પત્ર પર હસ્તાક્ષર કર્યા. ત્યારબાદ 17 મે 1947ને ત્રિપુરામાં અંતિમ મહારાજા વીર વિક્રમ સિંહના મૃત્યુ બાદ તેની પત્ની મહારાણી કંચનપ્રભાએ રાજ્યની ભાગદોડ સંભાળી.