રાષ્ટ્રીય બાળ અધિકારી સંરક્ષણ આયોગ(NCPCR)એ સુપ્રીમ કોર્ટમાં મોટો ખુલાસો કર્યો છે. 21 મહિનામાં માતા-પિતા ગુમાવનારા બાળકોની તમામ માહિતી...
કોરોના મહામારી સમયના ચોંકાવનારા આંકડા
1,47,000 બાળકોએ 21 મહિનામાં ગુમાવ્યા પોતાના માતા-પિતા
સુપ્રીમ કોર્ટમાં NCPCRનો રિપોર્ટ
આયોગના તાજા આંકડા માનીએ તો કોરોના મહામારી દરમિયાન 1 એપ્રિલ 2020 બાદથી દેશના 1 લાખ 47 હજાર 492 બાળકો પોતાના માતા-પિતા અથવા બન્નેમાંથી એક એકને ગુમાવી દીધા છે. NCPCRના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લા અંદાજિત 2 વર્ષમાં અનાથ થયેલા બાળખોમાંથી વધારે માતા-પિતાના મોત કોરોના વાયરસ અથવા પછી કોઈ અન્ય ઘટનામાં થયા છે.
સુપ્રીમ કોર્ટને NCPCRએ આ માહિતી એક પોતે સંજ્ઞાનથી જોડાયેલ મામલે આપી. જેમાં સુપ્રીમ કોર્ટે આયોગને પૂછ્યું હતું કે આ બાળકોની સંખ્યા શું છે, જેમણે કોરોના મહામારી દરમિયાન પોતાના માતા-પિતાને ગુમાવી દીધા. આને લઇને NCPCRએ આ આંકડા કોર્ટને સોંપ્યા.
આયોગે એ પણ કહ્યું કે તેના આંકડા 11 જાન્યુઆરી 2021 સુધીના છે અને તેમણે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો તરફથી બાળ સ્વરાજ પોર્ટલ-કોવિડ કેયરમાં આપવામાં આવેલા ડેટાના આધાર પર એકઠા કરાયા છે.
NCPCRના અનુસાર, 11 જાન્યુઆરી સુધી જે ડેટા અપલોડ થયા છે, તેમાં સામે આવે છે કે દેશમાં એપ્રિલ 2020થી લઇને અત્યાર સુધી બન્ને માતા-પિતાને ગુમાવનારા બાળકોની સંખ્યા 10 હજાર 94 રહી, જ્યારે માતા કે પિતામાં કોઇ એકને ગુમાનારની સંખ્યા 1 લાખ 36 હજાર 910 મળી. આ સિવાય છોડી દેવાયેલા બાળકોની સંખ્યા 488 રહી. આ તમામ આંકડાઓને જોડવામાં આવે તો દેશમાં માતા-પિતાને ગુમાવનારા બાળકોની સંખ્યા 1 લાખ 47 હજાર 492 પહોંચી છે.
કોઈ ઉંમરના કેટલા બાળકોએ ગુમાવ્યા માતા-પિતા?
માતા-પિતા ગુમાવનારા બાળકોમાં 76 હજાર 508 છોકરા રહ્યા, જ્યારે 70 હજાર 980 છોકરીઓ છે. જ્યારે ચાર ટ્રાન્સજેન્ડર બાળકો પણ તેમાં સામેલ રહ્યા. એફિડેવિટ અનુસાર, જે ઉંમરના બાળકો મહામારી દરમિયાન સૌથી વધુ અસરગ્રસ્ત થયા તેમાં 8થી 13 વર્ષના 59,010 બાળકો, 14-15 વર્ષના 22 હજાર 763 બાળકો, 16-18 વર્ષના 22,626 બાળકો સામેલ રહ્યા. આ સિવાય 4થી 7 વર્ષ વચ્ચેના 26,080 બાળકોના માતા અથવા પિતા અથવા બન્નેના આ દરમિયાન મોત થયા.
કયા રાજ્યોમાં માતા-પિતા ગુમાવનારા બાળકોની સંખ્યા સૌથી વધુ?
એપ્રિલ 2020થી કોવિડ અને અન્ય કારણોથી પોતાના માતા કે પિતા અથવા માતા-પિતા બન્નેને ગુમાવનારા બાળકોનું રાજ્યવાર વિવરણ આપતા આયોગે કહ્યું કે, આ બાળકોની વધુ સંખ્યા ઓડિસા (24,405) થી છે. ત્યારબાદ મહારાષ્ટ્ર(19,623), ગુજરાત (14,770), તમિલનાડુ (11,014), ઉત્તરપ્રદેશ (9,247), આંધ્રપ્રદેશ (8,760), મધ્યપ્રદેશ(7,340), પશ્ચિમ બંગાળ (6,835), દિલ્હી (6,629) અને રાજસ્થાનનું(6,827)નું સ્થાન આવે છે.
જે બાળકોએ માતા-પિતા ગુમાવ્યા, હાલ તેમની સ્થિતિ શું?
NCPCRએ બાળકોના આશ્રયની હાલની સ્થિતિની પણ માહિતી આપી. જેના અનુસાર, વધુ પડતા બાળકો(1,25,205) માતા અથવા પિતામાંથી કોઇ એક સાથે છે, જ્યાર 11,272 બાળકો પરિવારના સભ્યોની સાથે અને 8,450 બાળકો માતા-પિતાની સાથે છે. સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે, 1,529 બાળકો બાળ ગૃહોમાં, 19 ખુલ્લા આશ્રય ગૃહોમાં, બે અવલોકન ગૃહોમાં, 188 અનાથ આશ્રમમાં, 66 વિશેષ દત્તક લેનારી એજન્સીઓમાં અને 39 છાત્રાલયોમાં છે.
આયોગે સુપ્રીમ કોર્ટને જાણ કરી કે તેઓ દરેક રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશના NCPCRની સાથે વિસ્તાર મુજબ બેઠક કરી રહ્યા છે અને ઉત્તર-પૂર્વ રાજ્યોની સાથે એક વર્ચ્યુઅલ બેઠક 19 જાન્યુઆરીએ થવાની છે.