જગતના નાથ જગન્નાથ ફરીવાર અમદાવાદની નગરયાત્રાએ છે. કોરોના વાયરસ મહામારીના કારણે 144મી રથયાત્રા ઐતિહાસિક છે, કારણ કે ઈતિહાસમાં પહેલીવાર ભક્તો વિના રથયાત્રા નીકળી રહી છે.
આજે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા
શહેરમાં ગોઠવાયો ચાંપતો બંદોબસ્ત
અમદાવાદ સહિત રાજ્યભરમાં અનેરો ઉત્સાહ
144મી રથયાત્રા શાંતિ પૂર્ણ માહોલમાં થઈ પૂર્ણ
144મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. ત્યારે મહંત દિલીપદાસજી મહારાજે વહીવટી તંત્ર અને નગરજનોનો આભાર માન્યો છે. તેમણે જણાવ્યું કે, આપ સૌના પર ભગવાન જગન્નાથજીના આશિર્વાદ રહે, આજની રથયાત્રામાં આપ સૌએ જે રીતે મદદ કરી તે માટે મંદિર વતી આભાર.
જનતા કર્ફ્યુને લઈને મોટી જાહેરાત
આ સાથે જ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપ સિંહ જાડેજાએ પણ નગર જનોનો આભાર માનતા જણાવ્યું હતું કે, લોકોને જે અપીલ કરી હતી તે રીતે લોકોએ TV અને દૂરદર્શનના માધ્યથી ઘરે બેઠા જ ભગવાનના દર્શન કર્યા છે તે બદલ આભાર. સાથે જ પ્રદિપ સિંહ જાડેજાએ એક મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે, જનતા કર્ફ્યૂ 11.30 કલાકે પૂર્ણ થશે.
કોરોના વાયરસ પ્રોટોકોલ અનુસાર આજે રથયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરોઢિયે ચાર વાગ્યે ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી હતી અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પહિંદ વિધી કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યોછે. રથયાત્રામાં સરકાર દ્વારા માત્ર પાંચ જ વાહનોને મંજૂરી આપવામાં આવી છે જ્યારે ભાવિક ભક્તોએ માત્ર ઓનલાઈન અથવા ટીવીના માધ્યમથી જ દર્શન કરવાના રહેશે. કોરોના વાયરસના કારણે આ વખતે પોલીસનો બંદોબસ્ત પણ ચુસ્ત કરવામાં આવ્યો છે.
Ahmedabad Rathyatra Live અપડેટ્સ
સવારે 10: 50 : નગરચર્યા કરીને ભગવાન જગન્નાથ નિજ મંદિરે પરત પહોંચ્યા
સવારે 8:06: ખાડિયાથી પસાર થઈને કાલુપુર પહોંચ્યા રથ, ગૃહમંત્રી તથા પોલીસ કમિશનર રહ્યા હાજર
સવારે 8 વાગે : ખાડિયા પહોંચ્યા ભગવાનના રથ, પુષ્પવર્ષા દ્વારા પોળના લોકોએ કર્યું સ્વાગત
સવારે7.41 : ઢાળની પોળ પહોંચી રથયાત્રા, ઘોડેસવાર પોલીસ સાથે આગળ વધી રહ્યો છે નગરના નાથનો રથ
સવારે7.36 : AMC પહોંચ્યા રથ
સવારે7.33 ખમાસા પહોંચ્યા રથ, મહંત દિલીપ દાસજીએ ભક્તોને ઘરે બેઠા-બેઠા જ દર્શન કરવાની કરી અપીલ
સવારે 7.17: જગતના નાથ નીકળ્યા નગરયાત્રાએ, મંદિરથી ત્રણેય રથ રવાના, ખલાસીઓ ખેંચી રહ્યા છે રથ
સવારે 7:11: ભગવાન જગન્નાથના ગુજરાત ઉપર ખૂબ આશિર્વાદ રહે અને આપણું ગુજરાત કોરોના મુક્ત બને, તથા આ મહામારીમાંથી સૌથી પહેલા ગુજરાત બહાર નીકળે તેવી ભગવાનને પ્રાર્થના :CM રૂપાણી
સવારે 06.05: ભગવાન જગન્નાથ નંદીઘોષ રથમાં થયાં બિરાજમાન કરાયા
અપડેટ : સવારે 5 વાગે
અમિત શાહે મંગળા આરતી કર્યા બાદ ગજરાજના લીધા આશીર્વાદ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતીમાં ભાગ લીધો હતો તથા ગજરાજના આશિર્વાદ પણ લીધા હતા. આ સમયે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ મંગળા આરતીમાં હાજર રહ્યા છે.