અમદાવાદઃ આજ રોજ રથયાત્રા નીકળવાની છે ત્યારે ખાસ પ્રકારનો પહેરવેશ ભગવાન જગન્નાથજીને પહેરાવવામાં આવ્યો છે. આમ ભગવાન જગન્નાથની 141મી રથયાત્રા પરંપરાગત રૂટ પર આજ રોજ નીકળશે.
અમદાવાદની રથયાત્રાનું ભક્તોમાં ખાસ મહત્વ રહેલુ છે ત્યારે ભગવાન જગન્નાથને આજે ધારણ કરવા માટે ખાસ રાજસ્થાની રજવાડી વેશ તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે આજે ભગવાન જગન્નાથ રજવાડી પહેરવેશમાં જોવા મળ્યા હતા.
ભગવાને જાંબુડિયા-મોરપીંછ રંગના વાઘા ધારણ કર્યા છે ભગવાનની અમદાવાદ શહેરમાં નગરચર્યા નીકળશે.
આમ ભગવાન જગન્નાથની 141મી રથયાત્રામાં ભગવાન જાંબુડિયા-મોરપીંછ રંગના રજવાડી વાધા ધારણ કર્યા છે અને ભગવાન અમદાવાદ શહેરમાં નગરચર્યા માટે નીકળશે.