દેશનાં 140થી પણ વધારે પૂર્વ સૈન્ય અધિકારીઓએ વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતીને પત્ર લાખ્યો છે. આ પત્રમાં ચીની વિવાદ પર જવાબ આપવાની માંગ કરવામાં આવી છે. પત્રમાં વડાપ્રધાન મોદીને તે નિવેદનનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં તેમણે કહ્યું હતું કે ભારતીય સરહદમાં કોઈ ઘુષણખોરી થઇ જ નથી. આ સાથે જ 15મી જૂને ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા અથડામણ માટે રાજનૈતિક, સામાજિક અને સૈન્ય સ્તરની નકામી જવાબદાર ઠેરવવામાં આવી છે.
દેશના પૂર્વ સૈન્ય અધિકારીઓએ લખ્યો પત્ર
રાષ્ટ્રપતિથી કરી તપાસ કરવાની માંગ
પીએમના નિવેદનનો ચીને ફાયદો ઉઠાવ્યો હોવાનો આરોપ
સૈન્ય અધિકારીઓએ પીએમના નિવેદનનો કર્યો ઉલ્લેખ
સૈન્ય અધિકારીઓએ કહ્યું કે પીએમના નિવેદનના કારણે જ બીજીંગે આખી ગલવાન ઘાટી પર પોતાનો દાવો ઠોકી દીધો હતો. નોંધનીય છે કે એક નિવેદનમાં વડાપ્રધાન મોદીએ નિવેદન આપ્યું હતું કે ચીની સેના ભારતમાં ઘુસી જ નથી જે બાદ દેશભરમાં વિવાદ પેદા થઇ જતા વડાપ્રધાન કાર્યાલય તરફથી સ્પષ્ટતા કરવી પડી હતી. કાર્યાલયે સ્પષ્ટતા કરતા કહ્યું કે હતું કે પીએમનું નિવેદન અથડામણ બાદની પરિસ્થિતિ પર છે.
તપાસ કરવાની માંગ
સૈનિકોએ કહ્યું કે અસ્પષ્ટ, મૌખિક અને વિરોધાભાસી નિવેદનોથી ચીને ફાયદો ઉઠાવ્યો. આ સૈનિકોની માંગ છે કે રાષ્ટ્રપતિ હવે તથ્યોની તપાસ કરે અને સમિતિ બનાવી જે લદાખ અને અરુણાચલ પ્રદેશમાં તપાસ કરીને સંસદમાં અહેવાલ આપે. મીડિયાના અહેવાલ અનુસાર આ પત્ર પૂર્વ નૌસેના એડમિરલ એલ.રામદાસ દ્વારા લખવામાં આવી છે જેને 143 પૂર્વ સૈનિકોએ ટેકો આપ્યો છે. પત્રમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, CDS જનરલ બુપીન રાવત અને ત્રણેય સેનાધ્યક્ષોને પણ સંબોધિત કરવામાં આવ્યા છે.
આધિકારિક નિવેદન આપવા પણ દરખાસ્ત
આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે હિંસક અથડામણ રાજનૈતિક નેતૃત્વ અને મિલીટરી નેતૃત્વની નકામી હોઈ શકે છે. આ સિવાય દેશની ખૂફિયા વ્યવસ્થાને પણ અપગ્રેડ કરવાની માંગણી કરવામાં આવી છે. ભવિષ્યમાં આવી કોઈ પણ પરિસ્થિતિમાં આધિકારિક નિવેદન આપવું જોઈએ જેથી જનતાના મનમાં કોઈ પણ આશંકા ન રહે.